અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા,જાણો તેની તીવ્રતા
- અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા
- 5.1ની નોંધાઈ તીવ્રતા
- કોઈ જાનહાનિ કે નુકસાન નહીં
ઇટાનગર:અરુણાચલ પ્રદેશમાં પાંગિનથી 1174 કિમી ઉત્તરમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 રહી હતી.ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર,ભૂકંપના આંચકા લગભગ 21:51 વાગ્યે અનુભવાયા હતા.
આ પહેલા શુક્રવારે જ વહેલી સવારે બે કલાકથી ઓછા સમયમાં તમિલનાડુના ડિંડીગુલ વિસ્તારમાં ભૂકંપના ત્રણ હળવા આંચકા અનુભવાયા હત. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.