1. Home
  2. ગુજરાતી
  3. અતિક-અશરફની હત્યાની ઘટનાને ગંભીરતાથી લઇ યોગીએ તપાસ સમિતિની રચના કરી
અતિક-અશરફની હત્યાની ઘટનાને ગંભીરતાથી લઇ યોગીએ તપાસ સમિતિની રચના કરી

અતિક-અશરફની હત્યાની ઘટનાને ગંભીરતાથી લઇ યોગીએ તપાસ સમિતિની રચના કરી

0
Social Share

પ્રયાગરાજ મેડિકલ સંકુલ માર્ચ અને અશરફની ગોળી મારીને હત્યા કરવાની ઘટનાના ઘેરા પત્યાઘાત પડ્યા છે. ઉમેશપાલ સત્ય કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા અહેમદ બંધુઓની હત્યાને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી યોગી એ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ ઉપરાંત સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચનાનો પણ આદેશ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર મેડિકલ અર્થે અહેમદ બદલવો ને હોસ્પિટલ લઈ જવાયા હતા આ દરમિયાન ત્રણ શખ્સોએ તેમની ગોળી મારીને સત્ય કરી હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સીએમ યોગ એ મોડી રાત્રે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં રાજ્યના પોલીસવાળા અને એડિશનલ ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઘટનામાં જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓને નિર્દેશ કર્યો હતો. સરકારે આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની એક સમિતિની રચના કરી છે. આ ઉપરાંત સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીને તાત્કાલિક પ્રયાગ રાજ મોકલવામાં આવ્યા છે.

બીજી તરફ આ ઘટનાને પગલે 17 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના આદેશ કર્યા હોવાનું જાણવા મળે છે. આ પ્રકરણમાં અન્ય અધિકારી કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. બીજી તરફ સમગ્ર ઘટનાક્રમ ઉપર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યના પોલીસવાળા સતત નજર રાખી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત સંવેદન અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને વધારો કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ પેટ્રોલિંગ કરવા આદેશ કરાયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code