1. Home
  2. ગુજરાતી
  3. રાંચી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ વિકેટથી આપ્યો પરાજય, 3-1થી ભારત આગળ
રાંચી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ વિકેટથી આપ્યો પરાજય, 3-1થી ભારત આગળ

રાંચી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ વિકેટથી આપ્યો પરાજય, 3-1થી ભારત આગળ

0
Social Share

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેડની ક્રિકેટ ટીમ વચ્ચે રાંચીમાં રમાય રહેલી ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમે પાંચ વિકેટથી જીત હાંસલ કરી હતી. ટોસ જીતીને પ્રથમ બેટીંગમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 353 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 307 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનીંગ્સમાં 46 રનની લીડથી મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 145 રન બનાવીને ભારતને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટ ગુમાવીને આ મેચ જીતી લીધી હતી. આ જીત સાથે જ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં ભારત 3-1થી આગળ છે.

બીજી બેટીંગમાં ઉતરેલી ભારતીય ટીમના બેસ્ટમેન શુભમન ગીલ અને ધ્રુવ ઝુરેલએ છઠ્ઠી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. ધ્રુવએ વિનીંગ શોટ ફટકારીને ભારતને જીત અપાવી હતી. ધ્રુવ 39 રન અને શુભમન ગીલ 52 રન બનાવીને નોટઆઉટ રહ્યાં હતા. આ ઉપરાંત કેપ્ટન રોહિત શર્માએ 55 રન બનાવ્યાં હતા. આજે ચોથા દિવસે વિકેટ ગુમાવ્યા ભારતે 40 રનથી આગળ રમવાનું શરુ કર્યુંહતું. ભારતની પ્રથમ વિકેટ 84 રનના સ્કોર ઉપર યશસ્વીના રૂમમાં પડી હતી. 37 રન બનાવીને જયસ્વાલ જો રૂટની ઓવરમાં જેમ્સ એન્ડરસનના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે રોહિત શર્મા કેરિયરની 17મી અડધીસદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે રજત પાટીદાર રન બનાવ્યા વિના જ પરત પેવેલિયન ફર્યો હતો. રવિન્દ્ર જાડેજા પણ પોતાનો જાદુ બતાવી શક્યો ન હતો અને ચાર બનાવીને આઉટ થયો હતો. આ ઉપરાંત સરફરાઝ પણ ખાલુ ખોલ્યા વિના આઉટ થયો હતો. જો કે, ધ્રુવ અને ગીલે શાંતિપૂર્વક બેટીંગ કરીને ખરાબ બોલને બાઉન્ડ્રી બહાર મોકલ્યાં હતા. શુભમન ગીલે કેરિયરની છઠ્ઠી અડધીસદી ફટકારી હતી. પ્રથમ ઈનીંગમાં 90 રન બનાવનાર ધ્રુવે બીજી ઈનીંગમાં શારદાર શોટ ફટકાર્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code