1. Home
  2. ગુજરાતી
  3. UN મુખ્યાલયમાં પણ ‘મન કી બાત કાર્યક્રમ’ નો 100મો એપિસોડ લાઈવ બતાવાશે, બિલગેટ્સએ પણ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી
UN મુખ્યાલયમાં પણ ‘મન કી બાત કાર્યક્રમ’ નો 100મો એપિસોડ લાઈવ બતાવાશે, બિલગેટ્સએ પણ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી

UN મુખ્યાલયમાં પણ ‘મન કી બાત કાર્યક્રમ’ નો 100મો એપિસોડ લાઈવ બતાવાશે, બિલગેટ્સએ પણ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી

0
Social Share
  • કાલે પ્રસારિત થશે મન કી બાત કાર્યક્મનો 100મો એપિસોડ
  • યુએનના મુખ્યાલયમાં લાઈવ સાંભળવામાં આવશે

દિલ્હીઃ- આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદીનો મનકી બાત કાય્ક્રમનો 100 મો એપિસોડ પ્રસારિત થવાનો છે.જેને લઈને દેશભરમાં આ કાર્યક્રમ બતાવવાની તૈયારીઓ થઈ ચૂકી છે આ માટે ઘણા દિવસોથી બીજેપી દ્રાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી ત્યારે હવે આ કાર્યક્રમને યુએનના મુખ્યાલયમાં પણ લાઈવ કરવામાં આવશે.

આ શોનો 100મો એપિસોડ 30 એપ્રિલ, રવિવારના રોજ આવતીકાલે પ્રસારિત થશે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પણ આ ખાસ અવસર પર પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.દેશભરમાં તથઆ વિદેશમાં પણ આ શોની ચર્ચાઓ થઈ રહી છે.મોટા પાયે આ શોને પ્રસારિત કરવામાં આવશે.

આ કાર્યક્મને લઈને બિલગેટ્સે ટ્વિટ કર્યું છે કે તે મન કી બાત એ મહિલાઓને આર્થિક, સશક્તિકરણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને અન્ય મુદ્દાઓ પર વિકાસના ક્ષેત્રમાં જાગૃત કરી છે.તો બીજી તરફ યુએનએ આ કાર્યક્રમના 100 વર્ષ પુરા થવાને ઐતિહાસિક ક્ષણ ગણાવતા કહ્યું કે એક ઐતિહાસિક ક્ષણ માટે તૈયાર રહો. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ પણ @UN હેડક્વાર્ટર ખાતે ટ્રસ્ટીશીપ કાઉન્સિલ ચેમ્બરમાં લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

જાણકારી પ્રમાણે મન કી બાતનો 100મો એપિસોડ 30મી એપ્રિલે ન્યૂયોર્કમાં IST સવારે 11:00 વાગ્યે લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. રવિવારે યુએન હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે જે એક ઐતિહાસિક ક્ષણ હશે.તો બીજી તરફ ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ, એક સમુદાય સંસ્થાના સહયોગથી, રવિવારે બપોરે 1.30 વાગ્યે ન્યૂ જર્સીમાં ભારતીય-અમેરિકન અને વિદેશી સમુદાય માટે કાર્યક્રમ બતાવાશે.ઉલ્લેખનીય છે કે મન કી બાત રેડિયો કાર્યક્રમમાં પીએમ મોદી સામાન્ય લોકો સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરે છે. આ કાર્યક્રમ સૌપ્રથમવાર 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેના આવતીકાલે 100 એપિસોડ રુરા થઈ રહ્યા છે.દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી આ કાર્યક્રમ થકી દેશની જનતાને સંબોધે છે. અનેક મુદ્દાઓ વિશએ વાત  કરે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code