1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષાનો થયો પ્રારંભ, 20 મી એપ્રિલ બાદ વેકેશન
ગુજરાતમાં ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષાનો થયો પ્રારંભ, 20 મી એપ્રિલ બાદ વેકેશન

ગુજરાતમાં ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષાનો થયો પ્રારંભ, 20 મી એપ્રિલ બાદ વેકેશન

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો આજે તા. 3 એપ્રિલને સોમવારથી પ્રારંભ થયો હતો. અમદાવાદ સહિત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં સોમવારે શાંતિપૂર્ણરીતે પરીક્ષા સંપન્ના થઈ હતી. આ પરીક્ષાનો સમય સવારે 8 વાગ્યાનો હતો. ધોરણ-3માં ગણિતની પરીક્ષા લેવામાં આવી હતી. આવતી  કાલે મંગળવારે ગુજરાતીનું પેપર લેવાશે. જ્યારે ધોરણ 4 અને 5માં આજે ગણિત પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે  બુધવારે ગુજરાતી, ગુરુવારે પર્યાવરણ, શનિવારે હિન્દી અને 10મીએ અંગ્રેજીનું પેપર લેવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટ જિલ્લામાં ધોરણ 3થી 8ના કુલ અંદાજિત 3 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આજથી પોતાની જ સ્કૂલમાં વાર્ષિક પરીક્ષા આપી હતી. ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓની માત્ર મૌખિક પરીક્ષા જ લેવામાં આવે છે, જ્યારે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવામાં આવી રહી છે. તારીખ 20 એપ્રિલ સુધી પરીક્ષાનો માહોલ રહેશે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, આજે સોમવારથી  રાજકોટ જિલ્લામાં પ્રાથમિકની ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે પ્રકારની તમામ સુવિધા-વ્યવસ્થા શાળાઓમાં કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના અંદાજે દોઢ લાખ અને ખાનગી શાળાઓના પણ દોઢ લાખથી વધુ સહિત કુલ 3 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધોરણ 3થી 8ની પરીક્ષાનો સમય સવારે 8 વાગ્યાનો રખાયો હતો. ધોરણ-3માં આજે ગણિતનું પેપર લેવામાં આવ્યું હતું. જ્યારે મંગળવારે ગુજરાતીનું પેપર લેવાશે. ધોરણ 4 અને 5માં આજે ગણિતની પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે બુધવારે ગુજરાતી, ગુરુવારે પર્યાવરણ, શનિવારે હિન્દી અને 10મીએ અંગ્રેજીનું પેપર લેવાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત જ વેકેશન પડી ગયું છે જ્યારે આજથી શરૂ થયેલી ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા 20 એપ્રિલ સુધી ચાલશે. વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને તુરંત જ વેકેશન પડી જશે જ્યારે શિક્ષકો માટે તારીખ 1 મેથી 4 જૂન દરમિયાન વેકેશન રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code