1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્ર સરકારે અગ્નિવીર માટે 10 ટકા અનામતની કરી જાહેરાત, ચાર વર્ષની સેવા બાદ સેનામાં ભરતી 
કેન્દ્ર સરકારે અગ્નિવીર માટે 10 ટકા અનામતની કરી જાહેરાત, ચાર વર્ષની સેવા બાદ સેનામાં ભરતી 

કેન્દ્ર સરકારે અગ્નિવીર માટે 10 ટકા અનામતની કરી જાહેરાત, ચાર વર્ષની સેવા બાદ સેનામાં ભરતી 

0
Social Share
  • કેન્દ્ર સરકારે અગ્નિવીર માટે અનામતની કરી જાહેરાત
  • 10 ટકા અનામત અપાશે
  • ચાર વર્ષની સેવા બાદ સેનામાં ભરતી  પાક્કી

દિલ્હીઃ- કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજના વિકસાવ્યા બાદ હવે અનામતની જાહેરાત કરી છે, જાણકારી પ્રમાણે કેન્દ્ર એ એક મહત્વપૂર્ણ પગલામાં, કેન્દ્ર સરકારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે અને ઉચ્ચ વય-મર્યાદાના માપદંડોને પણ હળવા કર્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક સૂચના દ્વારા આ જાહેરાત કરી છે, જે 6 માર્ચ, 2023ની તારીખથી જારી કરવામાં આવી છે. આનો અમલ કરવા માટે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યોરિટી ફોર્સ, જનરલ ડ્યુટી કેડર ભરતી નિયમો, 2015માં સુધારો કર્યો છે, જે ગુરુવાર 9 માર્ચથી અમલમાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, કોન્સ્ટેબલની પોસ્ટ માટે, અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે, જ્યારે પછીની તમામ બેચના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે. ગૃહ મંત્રાલય  દ્વારા ગુરુવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ એક્ટ, 1968 (1968 નું 47) ની કલમ 141 ની પેટા-કલમ (2) ની કલમો (b) અને (c) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને જારી કરાયેલ એક સૂચના  દ્વારા જાહેરાત કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code