1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કાલે શુક્રવારથી ફરી વાર લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે
ગુજરાતમાં કાલે શુક્રવારથી ફરી વાર લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે

ગુજરાતમાં કાલે શુક્રવારથી ફરી વાર લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કડકડતી ઠંડી બાદ લધુત્તમ તાપમાનમાં થોડો વધારો થતાં લોકોએ રાહત અનુભવી હતી. હવે ફરીવાર લોકોએ કડકડતી ઠંડીના મોજાનો સામનો કરવો પડશે. ઉત્તર ભારતમાં હિમાચલ સહિત પર્વતીય વિસ્તારોમાં હીમ વર્ષા થતાં ઉત્તર-પૂર્વના પવનોને લીધે ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળશે.

ગુજરાતમાં કેટલાંક દિવસોથી ઠંડી ગાયબ જેવા માહોલ બાદ શુક્રવારીથી ફરી તાપમાન નીચુ આવવા સાથે ઠંડીનો ચમકારો અનુભવાશે.  રાજયભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ન્યુનતમ તથા મહતમ તાપમાન નોર્મલ કરતા એકથી ચાર ડીગ્રી ઉંચુ રહ્યું હતું. અમદાવાદનું આજનું ન્યુનતમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું જે નોર્મલ કરતા પાંચ ડીગ્રી ઉંચુ હતું. રાજકોટનું 18.7 ડીગ્રીએ નોર્મલ કરતા 6 ડીગ્રી, ડીસાનું 17.8 ડીગ્રીએ નોર્મલ કરતા 4 ડીગ્રી, અમરેલીનું 17.3 ડીગ્રીએ નોર્મલ કરતા 7 ડીગ્રી, વડોદરાનું 14.4 ડીગ્રીએ નોર્મલ કરતા 1 ડીગ્રી અને ભુજનું 17.8 ડીગ્રીએ નોર્મલ કરતા 8 ડીગ્રી ઉંચુ તાપમાન નોંધાયું હતું. પશ્ચીમી પવનોને કારણે ભેજયુક્ત હવાથી ઝાકળવર્ષાની સ્થિતિમાં તાપમાનમાં આ મોટી વૃદ્ધિ થઈ છે. આજે સાંજ સુધી હજુ પશ્ચીમી પવન ફુંકાતા રહેશે અને પવનની ગતિ પણ વધુ રહેવાની શકયતા છે. તા.12થી18 જાન્યુઆરીની દરમિયાન  તાપમાનમાં ઘટાડો શરૂ થશે અને 13થી17 જાન્યુઆરી દરમ્યાન વર્તમાન સ્તર કરતા તાપમાન 3થી6 ડીગ્રી નીચે ઉતરી જશે. આ સમયગાળામાં મહતમ તાપમાનની રેન્જ 26થી28 ડીગ્રી રહેશે. એવું હવામાન શાસ્ત્રીઓનું માનવું છે.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં લઘુત્તમ તાપમાનની રેન્જ 9થી12 ડીગ્રી રહેવાની શકયતા છે. રાજ્યમાં આવતીકાલથી ઉતર-પૂર્વના પવન ફુંકાવા લાગશે. વાતાવરણ ચોખ્ખુ અને સુકુ બનશે અને ભેજનું પ્રમાણ ઘટશે. એકાદ-બે દિવસ છુટાછવાયા હળવા વાદળો પણ છવાશે. 18મીએ ફરી પૂર્વના પવન ફુંકાશે અને તેને પગલે તાપમાન ઉંચકાવા સાથે ઠંડી ઘટી જશે. ઉતર ભારતને લાગેવળગે છે ત્યાં સુધી કાશ્મીર તથા હિમાચલપ્રદેશમાં 12 અને 13 જાન્યુઆરી હિમવર્ષા તથા વરસાદ થવાની શકયતા છે અને ત્યારબાદ 18મી પછી ફરી હિમવર્ષાનો રાઉન્ડ આવશે. ગુજરાતમાં તા.14મીને શનિવારે મકરસંક્રાંતિએ પતંગપર્વ ઉજવાશે. રાજકોટથી માંડીને રાજયભરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાશે. સંક્રાંતિએ પવનની સ્થિતિ મહત્વની હોય છે. અનેક વખત પવન પડી જતા પતંગરસીયાઓ નિરાશ થાય છે પરંતુ આ વખતે પવનદેવ ખુશ કરે તેમ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code