1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રામ મંદિર માટે પહેલું દાન દેશના રાષ્ટ્રપતિએ કર્યું – 5 લાખ 100 રુપિયાનો આપ્યો ચેક
રામ મંદિર માટે પહેલું દાન દેશના રાષ્ટ્રપતિએ કર્યું – 5 લાખ 100 રુપિયાનો આપ્યો ચેક

રામ મંદિર માટે પહેલું દાન દેશના રાષ્ટ્રપતિએ કર્યું – 5 લાખ 100 રુપિયાનો આપ્યો ચેક

0
Social Share
  • ‘નિધી સમર્પણ અભિયાન રામ મંદિર માટે દાન
  • રાષ્ટ્રપતિએ ભિયાનની શરૂઆત 5 લાખ 100 રૂપિયા આપીને કરી 

દિલ્હીઃ-અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામ મંદિર માટેની ‘નિધી સમર્પણ અભિયાન’ શુક્રવારથી શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આ અભિયાનની શરૂઆત 5 લાખ 100 રૂપિયા આપીને કરી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ અને સ્વયંસેવક સંઘનું એક પ્રતિનિધિમંડળ દાન માંગવા તેમની પાસે પહોંચ્યું હતું.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ 100 રૂપિયાનો ચેક આપ્યો છે. અગાઉ કેન્દ્ર સરકારે એક રૂપિયાનું દાન આપ્યું છે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 11 લાખ રૂપિયા, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ એક કરોડ અને મોરારી બાપુએ 11 કરોડનું દાન આપ્યું છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધિ અભિયાનમાં ભગવાન રામના મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદના વિનાયક રાવ દેશમુખને એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રેઝરર, સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ અને વિશ્વ હિન્દુ પરિષદના સીઇઓ આલોક કુમાર સહિત વિહિપના મોટા નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિને અયોધ્યામાં બનાવવામાં આવી રહેલા શ્રી રામ મંદિર માટે દાન માટે કહ્યું. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક નેતાઓ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પાસેથી પણ દાન માંગશે.આ દાન દ્વારા અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code