Homeગુજરાતીગુજરાતરાજ્યમાં અમદાવાદ સહિત આઠ શહેરોના વિકાસ માટે સરકારે રૂપિયા 50 કરોડ...

રાજ્યમાં અમદાવાદ સહિત આઠ શહેરોના વિકાસ માટે સરકારે રૂપિયા 50 કરોડ ફાળવ્યા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મુખ્યમંત્રીએ આ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જે રકમ ફાળવી છે તેમાં અમદાવાદને રૂ. 18.53 કરોડ, સુરતને રૂ. 15.12 કરોડ, વડોદરાને રૂ. 5.67 કરોડ, રાજકોટને રૂ. 4.48 કરોડ, ભાવનગરને રૂ. 2.09 કરોડ તેમજ જામનગરને રૂ. 1.89  કરોડ અને જૂનાગઢને રૂ. 1,04  કરોડ તેમજ ગાંધીનગરને રૂ1.07 કરોડની રકમનો સમાવેશ થાય છે.

રાજ્યના આઠ મહાનગરોમાં જનસંખ્યા તથા આઉટગ્રોથ વિસ્તારની વસ્તીને ધ્યાનમાં રાખીને આ આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટેની રકમમાંથી પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ વગેરે આંતરમાળખાકીય સુવિધાના કામો હાથ ધરાશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે નાણા ફાળવણીની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રજૂ કરવામાં આવી હતી.  રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં  637,50 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં 2016-17થી  અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ.549.92  કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ.87.58  કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments