1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા શાળા-કોલેજો ફરી શરૂ કરવા અંગે સરકારની વિચારણા

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા શાળા-કોલેજો ફરી શરૂ કરવા અંગે સરકારની વિચારણા

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે.  શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઈ ગયો છે, હાલ તો વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારે કોલેજો, યુનિવર્સિટીઓ અને માધ્યમિક શાળાઓ ફરીથી ખોલવા અંગેની વિચારણા માટે આંતરિક પરામર્શ શરૂ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં રાજ્ય સરકારે કોલેજો, યુનિવર્સિટીઓ અને શાળાઓ ફરીથી ખોલવા અંગેના ફાયદા અને ગેરફાયદા વિશે આંતરિક પરામર્શ શરૂ કર્યો છે. જો કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર ખૂબ જ રૂઢિવાદી દ્રષ્ટિકોણ અપનાવી રહી છે. મોટાભાગના સીનિયર અધિકારીઓ અને નિષ્ણોતોએ કોલેજો, યુનિવર્સિટીઓ અને માધ્યમિક શાળાઓ ફરીથી ખોલવા અંગે સૂચન કર્યું છે. સરકાર ટૂંક સમયમાં વાલીઓ અને શાળા સંચાલકો સાથે પણ વાતચીત શરૂ કરશે. ‘9થી 12 ધોરણના વર્ગખંડ ફરીથી ખોલવાની મંજૂરી અને ઓછામાં ઓછું દિવાળી સુધી 1 થી 8 ધોરણ બંધ રાખવાનો અભિપ્રાય છે. કોલેજ, યુનિવર્સિટી અને શાળાઓ ખોલવાનો નિર્ણય મુખ્યમંત્રીના નેતૃત્વવાળું હાઈ કોર ગ્રુપ લેશે અને રાજ્ય મંત્રીમંડળ અંતિમ નિર્ણય કરશે. સેલ્ફ-ફાયનાન્સ સ્કૂલ અસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે, જ્યારે સરકારે શાળાઓ ફરી શરૂ કરી હતી, ત્યારે દરરોજ 600 જેટલા કેસ હતા અને હવે 250થી પણ ઓછા છે. જો તે લહેરમાં સરકાર શાળાઓ ખોલી શકાતી હોય તો, પછી અત્યારે કેમ ન ખોલી શકે?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code