1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યના બીન અનામત નિગમ પાસેથી વિદેશ અભ્યાસ માટે લોન માગનારાની સંખ્યા સૌથી વધુ
રાજ્યના બીન અનામત નિગમ પાસેથી વિદેશ અભ્યાસ માટે લોન માગનારાની સંખ્યા સૌથી વધુ

રાજ્યના બીન અનામત નિગમ પાસેથી વિદેશ અભ્યાસ માટે લોન માગનારાની સંખ્યા સૌથી વધુ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં પાટીદારોને અનમતા આપવા માટે પાસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તત્કાલિન સમયે બીન અનામત વર્ગને ખૂશ કરવામાં માટે સરકારે નિગમનું ગઠન કરીને સહાય અને રાહત દરની લોન આપવાની જાહેરાત કરી હતી.વર્ષ 2018માં બિનઅનામત નિગમ શરૂ કર્યું તેના ત્રણ વર્ષમાં નિગમે પટેલ, વાણિયા, બ્રાહ્મણ, ક્ષત્રિય સહિતની જ્ઞાતિઓને વિવિધ યોજનાઓ અંતર્ગત 68,464 લોકોને રૂ. 745 કરોડની સહાય તેમજ લોન આપી છે, જેમાં સૌથી વધુ શિક્ષણ અને વિદેશ અભ્યાસ માટે લોન લેવામાં આવી છે. આમાં પણ ખાસ કરીને કોરોના આવ્યા બાદ આયોગ પાસેથી સહાય મેળવનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે બીજી તરફ નિગમ-આયોગની કામગીરી સામે પાટીદાર સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં ચાર વર્ષ પહેલા પાટીદારોને અનામતનો લાભ આપવા આંદોલન શરૂ થયું હતું. આંદોલનને લીધે પટેલ, વાણિયા, બ્રાહ્મણ, ક્ષત્રિય સહિતની જનરલ કેટેગરીમાં આવતી જ્ઞાતિઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે 2018માં બિનઅનામત આયોગ અને નિગમની રચના કરી હતી, જેમાં વિવિધ 8 યોજના હેઠળ અત્યારસુધી 68464 લોકોએ રૂ. 745 કરોડની આર્થિક સહાય તેમજ 4-5 ટકાના વ્યાજ પર લોન મેળવી છે. આ યોજનાઓ અંતર્ગત અભ્યાસ માટે સીધી આર્થિક સહાય મળે છે, જ્યારે અન્ય વ્યવસાયલક્ષી યોજનામાં લોનસ્વરૂપે બિનઅનામત વર્ગના લોકોને સહાય મળે છે, જે માટે વાર્ષિક રૂ. 500 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે બિનઅનામત આયોગ અને નિગમ હાલ ચેરમેન વિહોણાં છે, જેને લઇને પાટીદાર સમાજનાં સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે સહાય-લોન મેળવવા માટેની પ્રક્રિયા જટિલ છે, 10 મહિનાથી ચેરમેન નથી, જેને કારણે સંતોષકારક જવાબ નથી મળી રહ્યો. એટલુ જ નહિ પરંતુ સરકારે આપેલા ફંડ પ્રમાણે કામ પણ થતું નથી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code