1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં રેશનિંગના દુકાનદારો લોકસભાની ચૂંટણી બાદ સરકાર સામે આંદોલન કરશે
ગુજરાતમાં રેશનિંગના દુકાનદારો લોકસભાની ચૂંટણી બાદ સરકાર સામે આંદોલન કરશે

ગુજરાતમાં રેશનિંગના દુકાનદારો લોકસભાની ચૂંટણી બાદ સરકાર સામે આંદોલન કરશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના 17 હજાર જેટલાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. રેશનીંગની દુકાનદારોના પ્રશ્નો એવા છે. કે,  એડવાન્સ જથ્થાની પરમિટ સમયસર જનરેટ થતી નથી. એક જિલ્લામાં ફૂડ સેફ્ટીની તપાસણીમાં ફેઇલ થયેલો જથ્થો અન્ય જિલ્લામાં પાસ કરાવી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં-ચોખામાં નિયત વજન મળતું નથી. આ ઉપરાંત ઘણા વાજબી પ્રશ્નો ઉકેલવાની રજુઆતો કરવા છતાંયે નિરાકરણ કરવામાં આવતું નથી, આથી લોકસભાની ચૂંટણી બાદ ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આંદોલન કરવામાં આવશે.

ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરમાં 17,000 સસ્તા અનાજના દુકાનદારો છે. સસ્તા અનાજનો અધૂરો અને અનિયમિત જથ્થો પહોચાડવામાં આવતા સસ્તા અનાજના દુકાનદારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. એડવાન્સ જથ્થાની પરમિટ સમયસર જનરેટ થતી નથી. નાગરિક પુરવઠા નિગમમાં એમડી કાયમીને બદલે ચાર્જમાં છે. એક જિલ્લામાં ફૂડ સેફ્ટીની તપાસણીમાં ફેઇલ થયેલો જથ્થો અન્ય જિલ્લામાં પાસ કરાવી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં-ચોખામાં નિયત વજન મળતું નથી. તહેવારો તેમજ લોકસભાની ચૂંટણી વખતે જ પુરવઠાનો પૂરતો જથ્થો ન ફાળવવામાં આવતા સરકાર સામેનો રોષ વધી જાય છે. ત્યારે જો ઉપરોક્ત તમામ મુદ્દાઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ચૂંટણી બાદ સરકાર સામે આશ્ચર્યજનક આંદોલન કરવામાં આવશે.

ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને લેખિત રજૂઆત કરતા જણાવ્યુ હતું કે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થો આપવાનું કાર્ય ગુજરાતના લગભગ 17,000 સસ્તા અનાજના દુકાનદારો બેખૂબીથી નિભાવી રહ્યા છે. પૂરવઠા નિગમ છેલ્લા 4 વર્ષથી તેની નૈતિક અને કાયદાકીય જવાબદારી નિભાવમાં સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે. ગુજરાતનો દુકાનદાર આજની તારીખે પુરવઠા નિગમના પાપે ઘણી બધી યાતનાઓ ભોગવી રહ્યો છે. 2018થી આધાર આધારિત વિતરણનો નિયમ અમલમાં લાવતા દુકાનદારોને મળતા જથ્થાની સાયકલ 45 દિવસની કરવામાં આવી હતી અને એ મુજબ આ કામગીરી સરળતાથી ચાલતી હતી. પરંતુ નાગરિક પુરવઠા નિગમમાં એમડી તરીકે કાયમી અધિકારીના બદલે લાંબા સમયથી ચાર્જમાં નિમણૂક આપીને નિગમનો વહીવટ ચલાવવામાં આવતો હોવાથી નિગમ તેની જવાબદારી સમયસર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું છે. એક બાજુ લાંબા સમયથી એસોસિએશન જથ્થાની 30 દિવસની સાઇકલ માટે સતત રજૂઆત કરી રહ્યું છે.​​​​​​​ નિયામક કચેરીએ દર મહિનાની 16 તારીખે આગામી મહિનાના એડવાન્સ જથ્થાની પરમિટ ચલણ જનરેટ કરવાના હોય છે. પરંતુ નિયામક કચેરી તરફથી નિગમની સગવડતા માટે થઈને આ સરકારની સૂચનાને ઘોળીને પી જવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code