- આજે બીજા તબક્કે કોરોના વેક્સિનનું પરિક્ષણ શર થશે
- સીરમ ઈન્સ્ટિટ્યૂટ આ છેલ્લા તબક્કાનું પરિક્ષણ દેશના 17 રાજ્યોમાં કરશે.
- વેક્સિનનું ઉત્પાદન પુણેની સીરમ ઈન્સિટ્યૂટમાં થઈ રહ્યું છે
- સ્વસ્થ વોલસેન્ટિયર્સને આ વેક્સિનનો ડોઝ અપાશે
- પરિક્ષણમાં અંદાજે 1600 લોકો ભાગ લેશે
દિલ્હી- સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને લઈને દરેકની નજર કોરોના માટેની બનનારી વેક્સિન પર છે ત્યારે આજે 25 ઓગસ્ટના રોજ બ્રિટનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના વીજ્ઞાનિકો દ્વારા ડેવલોપ કરવામાં આવેલી વેક્સિનનું દેશમાં બીજા તબક્કાનું પરિક્ષણ શરુ કરવામાં આવશે , જો કે આ વેક્સિનનું ઉત્પાદન પુણે સ્થિત સીરમ ઈન્ય્ટીટ્યૂટમાં કરવામાં આવી રહ્યું છે, સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે સીરમ ઈન્ય્ટીટ્યૂટમાં આ બીજા તબક્કાનું પરિક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
વેક્સિનના ટ્રાયલનો બીજો તબક્કો ખુબ જ મહત્વનો હોય છે,કારણે કે બીજો તબક્કો સફળ પૂર્ણ થતા જ ત્રીજા તબક્કે વેક્સિન પહોંચે છે, ભારતમાં તૈયાર થઈ રહેલી ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની વેક્સિનનું નામ Covishield રાખવામાં આવ્યું છે.જેનું પૂણેની ભારતીય વિદ્યાપીઠ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં બીજા તબક્કાનું પરિક્ષણ આજથી શરુ કરવામાં આવશે, આ ટ્રાયલ દરમિયાન તંદુરસ્ત અને સ્વસ્થ વોલેન્ટિયર્સને આ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.
ઓક્સફોર્ડની કોરોના વેસ્કિનના નિર્માણ માટે સીરમ સંસ્થાએ એસ્ટ્રેજેન્કા કંપની સાથે એક કરાર કર્યો છે. સીરમ સંસ્થાને ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અટલે કે સીડીએસકો તરફથી આ તમામ બાબતે મંજૂરીઓ મળી ચૂકી છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટના એડિશનલ ડાયરેક્ટર પ્રકાશ કુમારસિંહ એ મીડિયાને જણાવ્યું હતું કે, “અમારા ગૃપની નીતિ હેઠળ, અમે વિશ્વ કક્ષાની કોવિડ -19ની વેક્સિનને આપણા દેશના લોકો માટે ઉપલબ્ધ કરાવા જઈ રહ્યા છીએ અને આપણો દેશ આત્મનિર્ભર બનશે. આ પ્રક્રિયાને ઝડપી બનાવતા, ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે ડીસીજીઆઈ એ 3 ઓગસ્ટના રોજ પૂણેની સીરમ સંસ્થાને ફેઝ -2 અને 3ના ટ્રાયલ માટે મંજૂરી આપી હતી”.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ આ છેલ્લા તબક્કાનું પરિક્ષણ દેશના 17 રાજ્યોમાં કરશે.આ સમગ્ર પરિક્ષણમાં અંદાજે 1600 લોકો ભાગ લેશે,જેમાં તમામ સેવકોની આયુ 18 વર્ષની હશે, ઉલ્લેખનીય છે કે પૂણેની આ સંસ્થા વેક્સિન બનાવવાની બાબતે મહત્વનું સ્થાન ધરાવે છે.
સાહીન-