1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકા જવા માટે હવે નહી કરાવવો પડે કોરોના ટેસ્ટ -બાઈડેનના આ નિર્ણયથી પ્રવાસીઓને રાહત
અમેરિકા જવા માટે હવે નહી કરાવવો પડે કોરોના ટેસ્ટ -બાઈડેનના આ નિર્ણયથી પ્રવાસીઓને રાહત

અમેરિકા જવા માટે હવે નહી કરાવવો પડે કોરોના ટેસ્ટ -બાઈડેનના આ નિર્ણયથી પ્રવાસીઓને રાહત

0
Social Share
  • અમેરિકાએ લીધો મહત્વનો નિર્ણય
  • 72 કલાક પહેલાના કોરોનાના ટેસ્ટ હવે યાત્રીઓ એ નહી કરાવો પડે

દિલ્હીઃ- કોરોનાને લઈને અનેક દેશોએ અનેક પ્રકારના નિયમો લાગૂ કર્યા હતા ત્યારે હવે અમેરિકાએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરોના સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે બોર્ડિંગના એક દિવસ પહેલા કોરોના ટેસ્ટ કરાવવાની ફરજીયાત નાબૂદ કરવામાં આવી છે.

આ મામલે  એક વરિષ્ઠ વહીવટી અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ નિયમ રવિવારે બપોરે 12 વાગ્યા પછી સમાપ્ત થઈ જશે. અધિકારીનું કહેવું છે કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને નિર્ણય લીધો છે કે હવે તેની જરૂર નથી.

ઉલ્લેખનીય ચે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન વહીવટીતંત્રે ગયા વર્ષે કોરોનાનું  પરીક્ષણ ફરજિયાત બનાવ્યું હતું. તે પછી તેણે યુરોપ, ચીન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત અને ઈરાન સહિતના ઘણા દેશો પર લાદવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધો હટાવ્યા હતા. તેના બદલે, એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે યુ.એસ.માં મુસાફરી કરતા અન્ય દેશોના પુખ્ત વયના લોકોએ સંપૂર્ણ રસીકરણ કરવું આવશ્યક છે.

જો કે ત્યાર બાદ ફરી  એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે સંપૂર્ણ રસીવાળા વ્યક્તિઓ મુસાફરીના ત્રણ દિવસ પહેલા નકારાત્મક કોરોના પરીક્ષણનો પુરાવો બતાવશે. તે જ સમયે, આ ટેસ્ટ પ્રવાસના એક દિવસ પહેલા રસી વગરના લોકો પાસેથી માંગવામાં આવ્યો હતો.જો કે હવે આ નિયમ હટાવી લેવામાં આવ્યો છે જેથઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને રાહત મળી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code