1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1માં પ્રવેશ માટે વય મર્યાદામાં છૂટછાટ મળે તેવી શક્યતા
ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1માં પ્રવેશ માટે વય મર્યાદામાં છૂટછાટ મળે તેવી શક્યતા

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1માં પ્રવેશ માટે વય મર્યાદામાં છૂટછાટ મળે તેવી શક્યતા

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1માં પ્રવેશ માટે બાળકોએ 6 વર્ષની ઉંમર પૂર્ણ હશે તેને જ પ્રવેશ અપાશે. આ નિર્ણ સામે વાલીઓમાં ભારે વિરોધ ઊઠ્યો છે. ત્યારે બાળકોના પ્રવેશ માટેની વય મર્યાદામાં સુધારો કરીને રાજ્ય સરકાર હવે આ નિયમમાં છૂટછાટ આપે એવી શક્યતા છે, ગયા ડિસેમ્બર મહિનામાં રાજ્યના શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, સ્કૂલો ધોરણ 1માં ફક્ત એવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે છે કે જેમણે 1 જૂન, 2023ના રોજ છ વર્ષ પૂર્ણ કર્યા હોય. આ કટ ઓફ ડેટ હવે 1 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવે એવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યનો શિક્ષણ વિભાગ કોઈ પણ જાતની છૂટછાટ આપવાની તરફેણમાં નથી, પરંતુ રાજ્ય સરકારને વાલીઓ અને શાળાના વહીવટી તંત્ર દ્વારા ઘણી રજૂઆતો મળી છે, જેમાં વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે. રાજ્ય સરકાર વય મર્યાદામાં છૂટછાટ અંગે ઔપચારિક નિર્ણય લેવા માટે વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવે તેવી શક્યતા છે. જો કે સરકારે જે બાળકો વયમર્યાદા ઓછી હોવાને લીધે ધોરણ -1માં પ્રવેશ ન મેળવી શકે તેવા બાળકો બાળવાટિકામાં પ્રવેશ મેળવી શકે છે તેવી જાહેરાત કરી છે. પણ વાલીઓ એવી રજુઆત કરી રહ્યા છે. 6 વર્ષ પૂર્ણ થવામાં બાળકોને બે-ત્રણ મહિના ઘટતા હોય તો આખુ વર્ષ બગડે છે. એટલે સરકારે છૂટછાટ આપવી જોઈએ.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગત તા. 7મી જાન્યુઆરીના રોજ રાજ્યના સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશને રાજ્યના શિક્ષણ મંત્રીને એક પત્ર લખ્યો હતો. જેમાં ધોરણ 1માં પ્રવેશ માટે નવી જાહેર કાયેલી વય મર્યાદામાં છૂટછાટ માગવામાં આવી હતી. એસોસિએશને પત્રમાં એવું પણ કહ્યું હતું કે, કટ ઓફ ડેટ 1 જૂનના બદલે 14 જૂન સુધી લંબાવવી જોઈએ. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ થોડા દિવસોમાં સુધારેલી વય મર્યાદાને પૂર્ણ કરવામાં ઓછા પડી જશે. 12 જાન્યુઆરીના રોજ રાજ્યના શિક્ષણ વિભાગે જાહેરાત કરી હતી કે, જે વિદ્યાર્થીઓ વય નિયમના કારણે ધોરણ 1માં પ્રવેશ માટે લાયક નથી તેમને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આવા વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં વિશેષ વિભાગ બનાવવામાં આવ્યો છે. સ્કૂલો વય મર્યાદાના સુધારાના કારણે ધોરણ 1ના પ્રવેશમાં ભારે ઘટાડો થાય એવી અપેક્ષા રાખી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code