
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે આવ્યા આ મોટા સમાચાર
- નિજ્જર કેસમાં ભારત બન્યું સખત
- કેનેડાથી 41 રાજદ્વારીઓને પાછા બોલાવવાનો આદેશ
- કેનેડાએ નવી દિલ્હીને નિરાશ કરી- જયશંકર
દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ભારતે કડક વલણ અપનાવતા કેનેડાથી તેના 41 રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું છે. અહેવાલ મુજબ, ભારતે કેનેડાને 10 ઓક્ટોબર સુધીમાં 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે.
ગયા અઠવાડિયે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક નિવેદન આપ્યું હતું જેમાં ભારત સરકાર પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, ભારતે આ દાવાઓને વાહિયાત અને પ્રેરિત ગણાવીને ભારપૂર્વક નકારી કાઢ્યા છે.
અહેવાલ મુજબ, ભારતે કેનેડિયન રાજદ્વારીઓની રાજદ્વારી પ્રતિરક્ષા રદ કરવાની ધમકી આપી છે જેમને 10 ઓક્ટોબર પછી દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે.ભારતમાં કેનેડાના 62 રાજદ્વારીઓ હાજર છે. ભારતે કહ્યું છે કે કેનેડિયન રાજદ્વારીઓની કુલ સંખ્યા ઘટાડીને 41 કરવી જોઈએ.
જોકે, આ મામલે ભારત અને કેનેડાના વિદેશ મંત્રાલયે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે કેનેડાએ પહેલા ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા અને ડરાવવાનું વાતાવરણ ઊભું કર્યું. તેમણે કહ્યું કે કેનેડામાં શીખ અલગતાવાદી જૂથોની હાજરીએ નવી દિલ્હીને નિરાશ કર્યું છે.