1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડાકોરમાં ફાગણી પુનમનો ત્રિદિવસીય મેળો ભરાશે, ઠાકોરજીના દર્શનના સમયમાં કરાયો ફેરફાર
ડાકોરમાં ફાગણી પુનમનો ત્રિદિવસીય મેળો ભરાશે, ઠાકોરજીના દર્શનના સમયમાં કરાયો ફેરફાર

ડાકોરમાં ફાગણી પુનમનો ત્રિદિવસીય મેળો ભરાશે, ઠાકોરજીના દર્શનના સમયમાં કરાયો ફેરફાર

0
Social Share

ડાકોરઃ ફાગણી પુનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પુનમનું વિશેષ મહાત્મ્ય છે. અને ફાગણી પુનમનો ત્રિદિવસીય એટલે કે, તા. 24 થી 26 માર્ચ દરમિયાન લોકમેળો યોજાશે. ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવા સાથે ફેરફાર કરવામાં આવ્યો છે.

ડાકોરના રણછોડરાજીના મંદિરમાં ફાગણી પૂનમના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. મોટી સંખ્યામાં ભાવિકો પગપાળા ચાલીને દુર દુરથી ઠાકોરજીના દર્શન માટે આવે છે. ડાકોરમાં ત્રણ દિવસ લોકમેળો પણ ભરાશે. ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર રણછોડરાયજી મંદિરે ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટી પડશે. વિશાળ સંખ્યામાં પહોંચતા દર્શનાર્થીઓની સગવડ માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનના દર્શનના સમયમાં વધારો કરવા સાથે ફેરફાર કરવામાં આવ્યો છે.જેમાં .

તા.25/03/24 સોમવારના રોજ દર્શનનો સમય 3-45 વાગે નિજ મંદિર ખુલશે. 4-00 વાગે મંગળા આરતી થશે. સવારે 4-00 થી 8-30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 8-30 થી 9-00 વાગ્યા સુધી ઠાકોરજી બાલભોગ, શૃંગારભોગ, ગોવાળભોગ ત્રણેય ભોગ બંધ બારણે આરોગવા બિરાજશે. આ સમયે દર્શન બંધ રહેશે .સવારે 9-00 વાગે શણગાર આરતી થશે. 9-00 થી 1-00 વાગ્યા સુધી શ્રી ગોપાલ લાલજી મહારાજ ફૂલડોળમાં બિરાજશે. ફૂલડોળના દર્શન થશે. બપોરે 1-00 થી 2-00 સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે 2-00 થી 3-30 સુધી  ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે.દર્શન બંધ રહેશે. 3-30 વાગે રાજભોગ આરતી થશે.3-30 થી 4-30 સુધી દર્શન ખુલ્લા રહેશે.4-30 થી 5-00 સુધી દર્શન બંધ રહેશે.(શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.) સાંજે 5-00 વાગે નિજ મંદિર ખુલશે. 5-15 વાગે ઉત્થાપન આરતી થશે.5-15 થી નિત્યક્રમાનુસાર શયન ભોગ, સખડી ભોગ આરોગી અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.

 ફાગણ વદ એકમને તા.26/03/24 મંગળવારના રોજ દર્શનનો સમય : 6-30 વાગે નિજ મંદિર ખુલશે. 6-45 વાગે મંગળા આરતી થશે. 6-45 થી 8-30 વાગ્યા સુધી દર્શન ખુલ્લારહેશે. સવારે 8-30 થી 9-00 વાગ્યા સુધી  ઠાકોરજી બાલભોગ, શૃંગાર ભોગ, ગોવાળ ભોગ ત્રણેય ભોગ બંધ બારણે આરોગવા બિરાજશે.દર્શન બંધ રહેશે. સવારે 9-00 વાગે શણગાર આરતી થશે. 9-00 થી 12-00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે 12-00 થી 12-30 સુધી  ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે.દર્શન બંધ રહેશે. બપોરે 12-30 વાગે રાજભોગ આરતી થશે .12-30થી રાજભોગ દર્શન થઈ અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે અને દર્શનાર્થીઓનો મંદિર પ્રવેશ બંધ રહેશે. બપોરે 3-45 વાગે નિજ મંદિર ખુલશે.4-00 વાગે ઉત્થાપન આરતી થઈ નિત્યક્રમાનુસાર શયનભોગ,સખડી ભોગ આરોગી અનુકૂળતાએ  ઠાકોરજી પોઢી જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code