1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં નવા સત્રથી 3થી 6 વર્ષના બાળકો માટે બાળવાટિકાના ત્રણ વર્ગો શરૂ કરાશે
ગુજરાતમાં  નવા સત્રથી 3થી 6 વર્ષના બાળકો માટે બાળવાટિકાના ત્રણ વર્ગો શરૂ કરાશે

ગુજરાતમાં નવા સત્રથી 3થી 6 વર્ષના બાળકો માટે બાળવાટિકાના ત્રણ વર્ગો શરૂ કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ જશે. નવી શિક્ષણ નીતિ મુજબ જે બાળકોએ 6 વર્ષ પૂર્ણ કર્યા હશે તેમને જ ધોરણ -1માં પ્રવેશ અપાશે. આથી વાલીઓએમાં વિરોધ ઊભો થયો છે. તેથી સરકારે આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ પ્રી-સ્કૂલોમાં ત્રિસ્તરીય કિંડરગાર્ટન શિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. સરકારે આ કિંડરગાર્ટન પ્રોગ્રામને ‘બાલવાટિકા I, II અને III’ નામ આપ્યું છે. ત્રણથી ચાર વર્ષની ઉંમરના બાળકોને બાલવાટિકા વર્ગ Iમાં, ચારથી પાંચ વર્ષની ઉંમરના બાળકોને બાલવાટિકા વર્ગ IIમાં તેમજ પાંચ અને છ ઉંમરના બાળકોને વર્ગ IIIમાં પ્રવેશ આપવામાં આવશે.  NEP અનુસાર, બાળકો છ વર્ષના થશે ત્યારે તેમને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રિસ્તરીય કિંડરગાર્ટન પ્રોગ્રામના અમલીકરણ સાથે, રાજ્યની તમામ પ્રી-સ્કૂલો સરકારના નિયમન હેઠળ આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણો સાથે રાજ્યની શિક્ષણ પ્રણાલીને જોડતાં, ગુજરાત સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ પ્રી-સ્કૂલોમાં ત્રિસ્તરીય કિંડરગાર્ટન શિક્ષણનો પ્રારંભ કરશે. સરકારે આ કિંડરગાર્ટન પ્રોગ્રામને ‘બાલવાટિકા I, II અને III’ નામ આપ્યું છે.  ત્રણથી ચાર વર્ષની ઉંમરના બાળકોને બાલવાટિકા વર્ગ Iમાં, ચારથી પાંચ વર્ષની ઉંમરના બાળકોને બાલવાટિકા વર્ગ IIમાં તેમજ પાંચ અને છ ઉંમરના બાળકોને વર્ગ IIIમાં પ્રવેશ આપવામાં આવશે. NEP અનુસાર, બાળકો છ વર્ષના થશે ત્યારે તેમને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રિસ્તરીય કિંડરગાર્ટન પ્રોગ્રામના અમલીકરણ સાથે, રાજ્યની તમામ પ્રી-સ્કૂલો સરકારના નિયમન હેઠળ આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્ય શિક્ષણ વિભાગની કોઈ પણ એજન્સી દ્વારા કિંડરગાર્ટનનું મોનિટરિંગ કરવામાં આવતું નથી. ખાનગી અને સરકાર દ્વારા સંચાલિત પ્રીસ્કૂલમાં શીખવવામાં આવતી બાબતોની સામગ્રી અને ફીનું નિયમન સરકાર દ્વારા કરવામાં આવશે. ‘જો કે, રાજ્ય શિક્ષણ વિભાગ પ્રી-સ્કૂલો માટે ફી અને કન્ટેન્ટ નક્કી કરે તે પહેલા સલાહકાર કવાયત હાથ ધરાશે, તમામ ખાનગી પ્રી-સ્કૂલો માટે ફીનું માળખું એકસમાન હશે તેમ નક્કી કરવામાં આવ્યું છે. તેનો અર્થ એ થયો કે, ખાનગી રીતે સંચાલિત તમામ કિંડરગાર્ટને રાજ્ય સરકાર સમક્ષ રજિસ્ટર્ડ કરાવવું જરૂરી છે. રાજ્યની અન્ય પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગી શાળાઓની જેમ તેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે.  સરકાર બાલવાટિકા I, II અને III વિભાગના શિક્ષકો માટે લાયકાતના લઘુત્તમ માપદંડોને લગતા નિયમો પણ બનાવશે. સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં લગભગ 40 હજાર પ્રિ-પ્રાઈમરી સ્કૂલો છે અને તેમાંથી કોઈ પણ શિક્ષણ વિભાગ દ્વારા નિયંત્રિત નથી. તેમાંથી મોટાભાગની સ્કૂલો બંગલો તેમજ ટેનામેન્ટ જેવી જગ્યાઓમાં ચાલે છે. (FIle photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code