1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હાઈવે બનાવવાના ખર્ચની વસુલાત થઈ હોવા છતાં ટોલટેક્સ ઘટાડાતો નથી, ટ્રાન્સપોર્ટરો આંદોલન કરશે
હાઈવે બનાવવાના ખર્ચની વસુલાત થઈ  હોવા છતાં ટોલટેક્સ ઘટાડાતો નથી, ટ્રાન્સપોર્ટરો આંદોલન કરશે

હાઈવે બનાવવાના ખર્ચની વસુલાત થઈ હોવા છતાં ટોલટેક્સ ઘટાડાતો નથી, ટ્રાન્સપોર્ટરો આંદોલન કરશે

0
Social Share

અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં હાઈવે પર ટોલટેક્સ બુથોમાં વધારો કરવામાં આવ્યો છે. કોઈપણ હાઈવે બાકી નથી કે જ્યાં ટોલટેક્સ લેવામાં આવતો નહોય. એટલું નથી રોડ બનાવવાનો ખર્ચની પૂરેપુરી વસુલાત થઈ ગયા બાદ પણ ટોલટેક્સ ઘટાડવામાં આવતો નથી. આથી ટ્રાન્સપોર્ટરોએ વિરોધ કરવાનું એલાન કર્યું છે. આ અંગે સપ્તાહમાં  અમદાવાદ ખાતે અને ત્યારબાદ મુંબઈ ખાતે એક બેઠક મળશે. જેમાં દેશભરના ટ્રાન્સપોર્ટરો જોડાશે. જો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ટોલટેક્સ ઘટાડવામાં નહીં આવે તો 12 કલાક હાઈવે ચક્કાજામ કરવાની આગાહી કરી હતી.

ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, નિયમ મુજબ બીઓટી ટોલટેક્સમાં ખર્ચ નીકળી ગયા બાદ તેની રકમ ઘટાડી દેવાની હોય છે. આમ છતાં મહેસાણા, મુંબઈ, નવસારી જેવા હાઈવે પર હજુ ટોલટેક્સ પૂરો ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો વિરોધ કરવા માટે સૌ પ્રથમ બેઠક અમદાવાદ ખાતે મળશે. આ બેઠકમાં રાજકોટ, જામનગર, મોરબી, અમદાવાદ, વાપી સહિત રાજ્યભરના હોદ્દેદારો જોડાશે. જેમાં લડત માટેની રણનીતિ ઘડવામાં આવશે. વિરોધ પૂર્વે રજૂઆત કરવામાં આવશે. આમ છતાં જો ટેક્સની રકમ ઘટાડવામાં નહિ આવે તો ઉગ્ર રીતે વિરોધ કરાશે. અમદાવાદમાં બેઠક મળ્યા બાદ મુંબઈ ખાતે એક બેઠક મળશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં તાજેતરમાં ખરાબ રોડ-રસ્તાને લઇને ટ્રાન્સપોર્ટ એસો.એ રાજકોટ કલેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં પોતાને પડતી મુશ્કેલી જણાવી હતી. જો રોડ-રસ્તા રિપેર નહિ થાય તો ટોલનાકે વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. રજૂઆત મળ્યા બાદ કલેક્ટરે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં હાઈવે વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. ત્યારબાદ રોડની મરામત કરવામાં આવી હતી. આ કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું. ખરાબ રોડ રસ્તાને કારણે વાહનોમાં નુકસાન થતું હોવાની અને ઈંધણ તેમજ સમયનો બગાડ થતો હોવાનું ટ્રાન્સપોર્ટરોએ રજુઆતો કરી હતી. સામાન્ય રીતે સીઝન સમયે સૌથી વધુ મુશ્કેલી પડે છે. ખરાબ રોડ-રસ્તાને કારણે જે માલ-સામાનની હેરફેર 24 કલાકમાં થઈ શકતી હોય તેમાં 48 કલાકથી પણ વધુ સમય નીકળી જાય છે. જેને કારણે સમયસર ડિલિવરી થઈ શકતી નથી અને પેમેન્ટ મેળવવામાં પણ મુશ્કેલી પણ છે. આ ઉપરાંત જે હાઈ-વે બનાવાયા છે તેના ખર્ચ માટે ટોલનાકે ઉઘરાવાતા ટેક્સથી કેટલાક રોડનો ખર્ચ વસુલ થઈ ગયો છે છતાં હજુ પણ તોતિંગ ટેક્સ વસુલાઈ રહ્યો છે બીજી તરફ ડીઝલના પણ ભાવ વધતાં ટ્રાન્સપોર્ટરો પર આર્થિક ભારણ વધુ આવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code