1. Home
  2. ગુજરાતી
  3. આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત 70 હજાર લોકોએ 15 દિવસમાં અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી
આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત 70 હજાર લોકોએ 15 દિવસમાં અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી

આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત 70 હજાર લોકોએ 15 દિવસમાં અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી

0
Social Share
  • આયુષ્માન ભાવ અભિયાન
  • 15 દિવસમાં 70 હજાર લોકોએ અંગદાનનો લીધો સંકલ્પ 
  • મહિલાઓ રહી સૌથી આગળ 

દિલ્હી: આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત દેશમાં પહેલીવાર 15 દિવસni અંદર 70 હજાર લોકોએ અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી. જેમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ હતી. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબરની વચ્ચે ચાલી રહેલા અભિયાન માટે સરકારે અંગદાન માટે રાષ્ટ્રીય રજિસ્ટ્રી શરૂ કરી છે, જ્યાં મોબાઈલ નંબર, આધાર કાર્ડ, ઈ-મેઈલ અને સરનામું સાથે ઈ-સિગ્નેચર સાથે અંગ દાનનું ફોર્મ ભરવામાં આવે છે.

અત્યાર સુધીમાં 70,444 લોકોએ અંગોનું દાન કરવાનો સંકલ્પ લીધો છે. જેમાં 40,216 મહિલાઓ અને 29,973 પુરૂષોનો સમાવેશ થાય છે. અંગોનું દાન કરવાનો સંકલ્પ લેનારા સૌથી વધુ લોકો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના છે, જ્યાં અનુક્રમે 19824 અને 14487 લોકોએ અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ મંગળવારે નેશનલ ઓર્ગન ડોનેશન રજીસ્ટ્રીમાં તમામ અંગોનું દાન કરવા માટેનું સંકલ્પ ફોર્મ ભર્યું હતું. આ ઉપરાંત, તેમણે કટોકટીની સ્થિતિમાં સંપર્ક કરવા માટે તેમના પુત્ર પવન વિશે માહિતી આપી છે. સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે તેઓ પોતે તમામ મંત્રીઓ અને નેતાઓને અંગદાન માટે આગળ આવવા અપીલ કરશે.

અંગદાન એ મહાદાન છે. અકસ્માત કે બ્રેઇન સ્ટ્રોકને કારણે અનેક લોકો બ્રેઇનડેડ બની જતા હોય છે. બ્રેઇન ડેડ થયા બાદ આ વ્યકિતની જિંદગી 6 થી 12 કલાકની હોય છે. આવી વ્યકિતના અંગો કીડની, લીવર, હાર્ટ, આંતરડા, ફેફસા, વગેરેના અંગોનું દાન કરી જરૂરિયાતમંદ લોકોમાં પ્રત્યાપર્ણ કરવામાં આવે તો અનેક લોકોની જિંદગી બચી શકે છે.  ત્યારે અંગદાન કરવું એ જરૂરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code