જે.પી. નડ્ડાએ આસામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
નવી દિલ્હી, 06 ઓગસ્ટ 2026: સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું છે કે આસામમાં પૂરને કારણે થયેલી તબાહી બાદ સ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે. જે.પી. નડ્ડાએ આસામ-નાગાલેન્ડ સરહદ પર આવેલા શિવસાગર જિલ્લાના નેપાલીખુટી વિસ્તારની મુલાકાત લીધી હતી.
કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી સાથે મળીને નાઝીરાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત શિબિરો, કૃષિ વિસ્તારો અને રહેણાંક વિસ્તારોની મુલાકાત લીધી. ત્યારબાદ, કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમા સાથે ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજી. તેમણે અસરગ્રસ્ત લોકોને નાણાકીય સહાય, પુનર્વસન અને વળતર સહિત કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી.
આસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બનતાં, વધુ છ લોકોનાં મોત સાથે મૃત્યુઆંક વધીને 95 પર પહોંચ્યો છે અને 14 જિલ્લાઓમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા 1.6 લાખ થઈ ગઈ છે.
વધુ વાંચો: ગ્રેટર નોઈડાની એક સોસાયટીમાં દૂષિત પાણી પીવાથી 70 બાળકો સહિત 100થી વધુ લોકો બીમાર


