Homeગુજરાતીકેન્દ્રીય મંત્રી ગડકરીનો દાવો, સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલતા નવા વાહનો લાવવામાં આવશે

કેન્દ્રીય મંત્રી ગડકરીનો દાવો, સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલતા નવા વાહનો લાવવામાં આવશે

  • ઇથેનોલ પર ચાલતા નવા વાહનો રજૂ થશે 
  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહી આ વાત 

દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું કે સંપૂર્ણ રીતે ઇથેનોલ પર ચાલતા નવા વાહનો રજૂ કરવામાં આવશે. નાગપુરમાં એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રીએ કહ્યું કે તેઓ તાજેતરમાં મર્સિડીઝ બેન્ઝ કંપનીના પ્રેસિડેન્ટને મળ્યા હતા, જે ઈલેક્ટ્રિક વાહનોની શરૂઆત કરે છે. ગડકરીએ કહ્યું, “તેમણે (ચેરમેન) મને કહ્યું કે તેમની કંપની ભવિષ્યમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનો જ બનાવશે.”

મંત્રીએ કહ્યું, “અમે નવા વાહનો લાવી રહ્યા છીએ જે સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલશે. બજાજ, ટીવીએસ અને હીરો સ્કૂટર માત્ર 100 ટકા ઇથેનોલ પર ચાલશે.” ગડકરીએ કહ્યું કે તેઓ ઓગસ્ટમાં ટોયોટાની કેમરી કાર લોન્ચ કરશે જે 100 ટકા ઇથેનોલ પર ચાલશે અને 40 ટકા વીજળી ઉત્પન્ન કરશે.

તેમણે કહ્યું, “જો તમે પેટ્રોલ સાથે સરખામણી કરો તો તે 15 રૂપિયા પ્રતિ લિટર હશે કારણ કે ઇથેનોલનો દર 60 રૂપિયા છે જ્યારે પેટ્રોલ 120 રૂપિયા પ્રતિ લિટર છે. ઉપરાંત, તે 40 ટકા વીજળી ઉત્પન્ન કરશે, તેથી સરેરાશ દર 15 રૂપિયા પ્રતિ લિટર હશે

 

સંબંધિત લેખો

Most Popular