1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તરાયણ પર્વઃ અમદાવાદમાં ચાઈનીઝ દોરી- તુક્કલનું વેચાણ-ઉપયોગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરાશે
ઉત્તરાયણ પર્વઃ અમદાવાદમાં ચાઈનીઝ દોરી- તુક્કલનું વેચાણ-ઉપયોગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરાશે

ઉત્તરાયણ પર્વઃ અમદાવાદમાં ચાઈનીઝ દોરી- તુક્કલનું વેચાણ-ઉપયોગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરાશે

0
Social Share

અમદાવાદઃ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને પતંગ રસિયાઓ દોરી રંગાવાની અને પતંગની ખરીદીમાં જોડાયા છે. બીજી તરફ મોટી સંખ્યામાં કારીગરો પતંગ બનાવવામાં જોડાયાં છે. એટલું જ નહીં અન્ય રાજ્યોમાંથી દોરી રંગવાનું કામ કરતા કારીગરોએ અમદાવાદ સહિતના શહેરોમાં ધામા નાખ્યાં છે. દરમિયાન અમદાવાદમાં ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને તુકલના વેચાણ અને ઉપયોગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત માર્ગ અકસ્માતના બનાવો અટકાવી શકાય તે માટે રસ્તા ઉપર પગંત પકડવાનો પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તંત્રએ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગે રસ્તા / ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ-સ્પીકર વગાડી શકાશે નહીં. આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉકેરણીજનક લખાણો લખી પતંગ ચગાવી શકાશે નહીં. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બંબૂઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઇપણ પાનુના તારના લંગર બનાવી આમ-તેમ શેરીઓ,ગલીઓ, જાહેર રસ્તાઓ ઉપર દોડા-દોડી કરવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જાહેર માર્ગો ઉપર કોઇપણ વ્યક્તિઓ દ્વારા જાહેરમાં ધાસચારાનું વેચાણ કરવા ઉપર અને આમ-જનતા દ્વારા આ ધાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાય/ પશુઓને ધાસચારો નાખી ટ્રાફિક અવરોધ ઉભો કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્લાસ્ટિક પાકા સિન્થેટિક મટીરીયલ, ટોક્સિક મટીરીયલ, કાચ પાવડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી નાયલોન/ચાઇનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરાના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર / દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ચાઈનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને પરાશ કે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉત્તરાયણ પર્વને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો અમલ તા. 20મી જાન્યુઆરી 2023 સુધી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code