1. Home
  2. ગુજરાતી
  3. મણીપુરમાં ફરી ભડકી હિંસા,ગોળીબારમાં 2 લોકોના મોત તો 50થી વઘુ લોકો ઈજાગ્રસ્ત થયા
મણીપુરમાં ફરી ભડકી હિંસા,ગોળીબારમાં 2 લોકોના મોત તો 50થી વઘુ લોકો ઈજાગ્રસ્ત થયા

મણીપુરમાં ફરી ભડકી હિંસા,ગોળીબારમાં 2 લોકોના મોત તો 50થી વઘુ લોકો ઈજાગ્રસ્ત થયા

0
Social Share

ઈમ્ફાલઃ- મણીપુરમાં મે મહિનાથી બે સમુદાયો વચ્ચે શરુ થયેલ આંદોલન હિંસામાં પરિણામ્યું હતું અને આજદિન સુઘી છૂટી છવાઈ હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે,મણિપુર હિંસા મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે તણાવનું વાતાવરણ છે ત્યારે ફરી એક વખત મણીપુરમાં હિંસા ભડકી હોવાના સમાચાર સામે આવ્યા છએ જેમાં બે લોકોના મોત થયા છે તો 50 લોકો ઈજાગર્સ્ત થયા છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ઉત્તર-પૂર્વીય રાજ્યના તેંગનોપલ જિલ્લાના પલેલ વિસ્તારમાં શુક્રવારની વહેલી સવારે સુરક્ષા દળો અને સશસ્ત્ર માણસો વચ્ચે બે સ્થળોએ ગોળીબારમાં બે લોકો માર્યા ગયા હતા અને સેનાના મેજર સહિત લગભગ 50 લોકો ઘાયલ થયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે અજાણ્યા જૂથો વચ્ચે સવારે 6 વાગ્યાની આસપાસ ગોળીબાર શરૂ થયો હતો અને તે સમયાંતરે ચાલુ રહ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં ઈમ્ફાલના રિમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code