1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જીપ્સમનો ઉપયોગ કરીને પડતર જમીનને બનાવી શકાય ફળદ્રુપ
જીપ્સમનો ઉપયોગ કરીને પડતર જમીનને બનાવી શકાય ફળદ્રુપ

જીપ્સમનો ઉપયોગ કરીને પડતર જમીનને બનાવી શકાય ફળદ્રુપ

0
Social Share

નવી દિલ્હીઃ દેશમાં લગભગ 71 લાખ હેક્ટર જમીન દુષ્કાળથી પ્રભાવિત છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં લગભગ 13 લાખ હેક્ટર જમીન પડતર છે. આવી ઉજ્જડ જમીનોમાં ઉત્પાદન નહિવત હોય છે અને ઘણી વખત ખાલી રહે છે. જો કે હવે ખેડૂતો જાગૃત બનીને આવી જમીન પર ઉત્પાદન લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જીપ્સમનો ઉપયોગ કરીને આવી જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે અને ઉનાળાના મહિનાઓ આ માટે સૌથી યોગ્ય છે. ચંદ્રશેખર આઝાદ એગ્રીકલ્ચરલ ટેક્નોલોજી યુનિવર્સિટીના ભૂમિ વૈજ્ઞાનિક ડૉ. ખલીલ ખાને આ વાતની પુષ્ટી કરી છે.

તેમણે કહ્યું કે; “માત્ર જીપ્સમ ઉમેરીને પાકના પોષક તત્વોની માંગ પૂરી કરવી અશક્ય છે. કારણ કે તેમાં કેલ્શિયમ અને સલ્ફર જ મેળવી શકાય છે. તેથી, રાસાયણિક ખાતર અને લીલા ખાતર સાથે જીપ્સમનો ઉપયોગ કરીને, જમીનમાં સારું ઉત્પાદન મેળવી શકાય છે.”

તેમણે કહ્યું કે; “ફળદ્રુપ જમીનમાં સોડિયમની વધુ માત્રા જમીનની PH મૂલ્યમાં વધારો કરે છે. જેના કારણે પાણી અને હવાનું લીકેજ ઓછું થાય છે અને જમીનની ભૌતિક સ્થિતિ બગડે છે. આ જમીનોમાં નાઈટ્રોજન, કેલ્શિયમ અને ઝીંકની તીવ્ર ઉણપ છે, જેના કારણે પાક ઉત્પાદન નફાકારક બનતું નથી.

ડૉ. ખાને જણાવ્યું કે; “ઉજ્જડ જમીનમાં જીપ્સમ ફેલાવ્યા પછી તરત જ હળનો ઉપયોગ કરીને જમીનની ઉપરની 7-8 સેમીની સપાટીમાં ખેતરને સમતળ કરવું જરૂરી છે. જેથી ખેતરમાં દરેક જગ્યાએ સમાન રીતે પાણી પહોંચી શકે. જીપ્સમ જમીનમાં ખૂબ ઊંડે ભેળવવું જોઈએ નહીં. બિન ઉપજાઉ જમીનમાં વારંવાર જીપ્સમ ભેળવવાની જરૂર નથી. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જો પડતર જમીનમાં ડાંગર સતત ઉગાડવામાં આવે તો જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે અને ખેતરોને લાંબા સમય સુધી ક્યારેય ખાલી ન રાખવા જોઈએ.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code