રાત્રિનું ભોજન ન કરો તો શું થાય? ફાયદો કે નુક્સાન? જાણો
ભારતમાં કદાચ ભાગ્ય જ કોઈ વ્યક્તિ હશે કે જે રાત્રિના સમયે જમવાનું ટાળતો હશે, બાકી તો બધા રાત્રિનું ભોજન જમતા હોય છે. જો વાત કરવામાં આવે વિદેશની તો એવું અનેક વાર સાંભળવા મળ્યું કે ત્યાં લોકો એક જ વાત જમે છે બાકી તો બે વાર નાસ્તા કરીને ચલાવી લે છે. તો એ વાત જાણવાની મજા આવશે કે રાત્રિના સમયે ભોજન ન કરીએ તો તેનો ફાયદો થાય કે નુક્સાન?
જો સામાન્ય રીતે આ વાતને જોવા જઈએ તો એવું કહેવાય કે ભોજન છોડવું એ સમસ્યાનો ઉકેલ નથી. જો તમે દરરોજ ડિનર છોડો છો, તો તમારા શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા. જેના કારણે તમારા શરીરમાં શુગર લેવલ નીચે જઈ શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. જેના કારણે શરીર અનેક રોગોનો શિકાર બની શકે છે.
દરરોજ ડિનર ન કરવાથી શરીરમાં ઉર્જાનો અભાવ થાય છે. આના કારણે શરીર અંદરથી નબળું પડવા લાગે છે, જેના કારણે થાક અને માથાનો દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. થોડા સમય પછી તેના કારણે, ઘણી નબળાઇ પણ અનુભવાય છે. તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે.
જેમ કોઈપણ મશીનને ચલાવવા માટે ઓઈલની જરુર પડે છે તેમ આપણા શરીરને કાર્યરત રાખવા માટે ભોજનની જરુર પડે છે. પોષ્ટિક આહારમાંથી મળતા પોષક તત્વોથી જ શરીર સ્વસ્થ રહે છે. એવુ કહેવાય છે કે રાત્રે પાચનતંત્ર સારુ રાખવા માટે હળવુ ભોજન કરવુ જોઈએ. પરંતુ આનો અર્થ એ નથી કે તમારે માત્ર ડિનર જ ન કરવું જોઈએ