1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. વાસ્તુ દોષ શું છે? જાણો કે તમારા ઘરમાં પણ આવા સંકેત તો નથી ને..
વાસ્તુ દોષ શું છે? જાણો કે તમારા ઘરમાં પણ આવા સંકેત તો નથી ને..

વાસ્તુ દોષ શું છે? જાણો કે તમારા ઘરમાં પણ આવા સંકેત તો નથી ને..

0
Social Share

આપણા દેશમાં લોકો વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્રમાં માનવા વાળો વર્ગ આજે પણ મોટી સંખ્યામાં છે, લોકો માને પણ છે કે આ બધી વસ્તુઓ જીવનમાં અસર કરે છે, ત્યારે જેટલા લોકોને જીવનમાં ક્યારેક શાંતિ ન મળતી હોય, અથવા કેટલીક પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા હોય તો લોકોએ આ વાત પર ધ્યાન આપવું જોઈએ.

ઘરનો ઉત્તર પૂર્વ ભાગ ઊંચો ન હોવો જોઈએ. તેમજ શૌચાલયનું બાંધકામ કોઈપણ સંજોગોમાં આ દિશામાં ન કરવું જોઈએ. જેના કારણે નાણાંની મોટી ખોટ થઈ શકે છે. પરિવારમાં અશુભ ઘટનાઓ બની શકે છે. આ દિશા અન્ય દિશાઓ કરતા નીચી હોવી અને આ દિશામાં મંદિર હોવું શુભ માનવામાં આવે છે. જો રહેવા માટે રૂમ બનાવ્યો હોય તો ઉત્તર પૂર્વનો રૂમ ક્યારેય ભાડે ન આપવો જોઈએ.

મધમાખીનો મધપૂડો ઘરમાં ન લગાવવું જોઈએ. વાસ્તુ વિજ્ઞાન અનુસાર જો આવું થાય તો 6 મહિના સુધી વાસ્તુ દોષ રહે છે. જ્યારે ચામાચીડિયા ઘરમાં પ્રવેશ્યા પછી 15 દિવસ સુધી વાસ્તુ દોષ રહે છે. આવી સ્થિતિમાં ઘરને શુદ્ધ કરવું જોઈએ. ગીધ અને કાગડાનું ઘરમાં પ્રવેશવું સારું માનવામાં આવતું નથી.

ઘરનો દરવાજો બહારથી ખોલવો શુભ માનવામાં આવતો નથી. દરવાજો અંદરની તરફ ખુલવો જોઈએ. તેમજ દરવાજો ખોલતી વખતે અને બંધ કરતી વખતે અવાજ આવવો પણ શુભ નથી. વિન્ડો માટે પણ એક નિયમ છે કે તે અંદરની તરફ ખુલવી જોઈએ બહારની તરફ નહીં. આ દોષના કારણે ડર અને માનસિક પરેશાની થાય છે. ઘરના વડાને જીવનમાં દુઃખ સહન કરવું પડે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code