ઘરે નવી ટેકનોલોજીથી ગણતરીની સેકન્ડમાં જ દૂધમાં થતી ભેળસેળ શોધી શકાશે
નવી દિલ્હીઃ દેશમાં દૂધમાં ભેળસેળને અટકાવવો મુશ્કેલ છે જો કે, ભારતીય શોધકર્તાઓએ નવી ટેકનોલોજી વિકસાવી છે જે ગણતરીની સેકન્ડમાં મિનિટોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. 3ડી પેપરના ઉપયોગથી એક પોર્ટેબલ ઉપકરણ બનાવવામાં આવ્યું છે જે માત્ર 30 સેકેન્ડમાં જ દૂધમાં ભેળસેળને શોધી કાઢશે. ઘરે બેઠા-બેઠા આ ટેકનોલોજીના મારફતે દૂધમાં ભેળસેળ જાણી શકાશે.
આઈઆઈટી મદ્રાસના શોધકર્તાઓ દ્વારા વિકસિત આ ઉપકરણની મદદથી ઘરે જ દૂધનું પરીક્ષણ સરળતાથી કરી શકાશે. આ ઉપકરણ યુરિયા, ડિટજન્ટ, સાબુ, સ્ટાર્ચ, હાઈડ્રોજન પેરોક્સાઈડ, સોડિયમ-હાઈડ્રોજન-કાર્બોનેટ અને મીઠું સહિત ભેળસેળ માટે સામાન્ય રીતે ઉપયોગ થનારા પદાર્થો જાણી શકાશે. આઈઆઈટી મદ્રાસના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના એસો. પ્રોફેસર ડો. પલ્લવ સિંહા મહાપાત્રાના નેતૃત્વમાં આ શોધ કરવામાં આવી છે. પ્રોફેસર ડો. મહાપાત્રાએ જણાવ્યું હતું કે, 3ડી પપર આધારિત માઈક્રોફ્લુઈડિક ઉપકરણની રચના સેન્ડવીચ જેવી છે.
દૂધને આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તે વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, નિયાસિન, ફોસ્ફરસ અને પોટેશિયમથી ભરપૂર છે. પરંતુ આજના સમયમાં બજારમાં ઉપલબ્ધ દૂધમાં વિવિધ પ્રકારની ભેળસેળ કરવામાં આવી રહી છે, જે તેના પોષણ મૂલ્ય પર નકારાત્મક અસર કરે છે. ઉપરાંત, માહિતીના અભાવને કારણે, લોકો કૃત્રિમ અથવા ભેળસેળયુક્ત દૂધ અને શુદ્ધ દૂધ વચ્ચેના તફાવતને ઓળખતા નથી.
દેશમાં પ્રજાને પોષ્ટીક આહાર મળી રહે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ખાદ્યચીજ વસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.