1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યાત્રાધામ સોમનાથમાં આ વર્ષે પણ કાર્તિક પૂર્ણિમાનો મેળો નહીં યોજાય
યાત્રાધામ સોમનાથમાં આ વર્ષે પણ કાર્તિક પૂર્ણિમાનો મેળો નહીં યોજાય

યાત્રાધામ સોમનાથમાં આ વર્ષે પણ કાર્તિક પૂર્ણિમાનો મેળો નહીં યોજાય

0
Social Share

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવજી મંદિરમાં કાર્તિકી પૂર્ણ‍માનું અનેરૂ મહાત્વ છે. છેલ્લા સાત દાયકાથી દર વર્ષે દેવદિવાળીના પર્વ (અગિયારસ) થી કાર્તિકી પૂર્ણીમા (પૂનમ)ના દિવસ સુધી સોમનાથ સાંનિઘ્યે પાંચ દિવસીય લોકમેળાનું મંદિર ટ્રસ્ટ દ્રારા આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે મેળાનું આયોજન રદ કરાયુ હતુ. આ વર્ષે દેવદિવાળી પર્વ નજીક આવી રહ્યું હોવાથી ચાલુ વર્ષે પ્રખ્યાત કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન થશે કે કેમ તે અંગે ભાવિકામાં ઉત્સુકતા છે, ત્યારે  સોમનાથ ટ્રસ્ટે ચાલુ વર્ષે સરકારની મેળા યોજવાની કોઇ ગાઇડલાઇન ન હોવાથી અને સોમનાથના મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી લોકોની સુખાકારીને ધ્યાનેને રાખી ચાલુ વર્ષે કાર્તિકી પૂર્ણીમાના મેળાનું આયોજન ન કરવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટે કર્યો હોવાનું જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે.

સોમનાથ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, કાર્તિકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિરમાં મધ્યરાત્રીએ થતી મહાઆરતી સહિતની પૂજાવિઘિ દર્શનના કાર્યક્રમો નિત્યક્રમ મુજબ થશે.અત્રે નોઘનીય છે કે, પ્રભાસક્ષેત્રમાં કાર્તિકી પૂર્ણિમાનુ વિશેષ માહાત્મ્ય રહેલું છે. કારણ કે, કાર્તિકી પૂર્ણિમાની મઘ્યારાત્રીએ ચંદ્ર ભગવાન શિવના મસ્તક પર ધારણ કરે છે. શિવ ચંદ્રશેખર અને સોમેશ્વર નામથી પૂજાય એ દિવસ પણ કાર્તિકી પૂર્ણિમાનો હોવાથી ધાર્મિક દ્રષ્ટીએ તેનું મહાત્મય છે. દર વર્ષે કાર્તિકી પૂર્ણીમાની મઘ્યરાત્રી (રાત્રીના 12 વાગ્યે) સોમનાથ મંદિરના શિખર પર ચંદ્ર પોતે સ્થાન લે છે તેનો અલૌકીક નજારો નિહાળવા મોટીસંખ્યામાં ભાવિકો સોમનાથ મંદિરએ આવે છે. આ દિવસે મઘ્યરાત્રીએ સોમનાથ મહાદેવને મહાઆરતી પણ કરવામાં આવે છે જેનો લ્હાવો લેવા દર વર્ષે અનેક ભકતો લેવા આવે છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code