1. Home
  2. ગુજરાતી
  3. માનસિક રીતે મજબૂત બનવા માટે યોગ છે અતિફાયદાકારક
માનસિક રીતે મજબૂત બનવા માટે યોગ છે અતિફાયદાકારક

માનસિક રીતે મજબૂત બનવા માટે યોગ છે અતિફાયદાકારક

0
Social Share

યોગને આજે વિશ્વના મોટાભાગના દેશોમાં મહત્વની કસરત અથવા ભારતની સૌથી મોટી દેન તરીકે જોવામાં આવે છે. સમગ્ર વિશ્વએ માન્યુું કે યોગ કરવાથી સ્વાસ્થ્ય તે સ્વસ્થ રહે છે અને માનસિક રીતે પણ લોકોને અનેક રીતે ફાયદા થાય છે. આવામાં જો માત્ર વાત કરવામાં યોગથી થતા માનસિક ફાયદાની તો તે આ પ્રમાણે છે.

મનને સંતુલિત રાખવા માટે ધનુરાસન સૌથી વધારે ફાયદાકારક છે અને તે આસનને કરવા માટેની રીત આ છે કે ધનુરાસન કરવા માટે યોગા મેટ પર પેટ પર સૂઈ જાઓ. હાથને પાછળની તરફ ફેરવો. હાથ સીધા રાખો પગને પકડી ફોટોમાં બતાવેલી મુદ્રામાં રહેવાનો પ્રયાસ કરો. 20 સેકન્ડ સુધી આ મુદ્રામાં રહો. તે પછી તેની સ્થિતિ પર પાછા આવો.

અંજનેયાઆસન પણ માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે નિયમિત રીતે કરી શકાય છે. આ માટે યોગા મેટ પર સીધા ઉભા રહો. ધીરે ધીરે આગળની તરફ જુકો. ઘૂંટણને વાળવાનો પ્રયાસ કરો. પગને જમીન પર દબાવી રાખો. તેનાથી તણાવ ઓછો થાય છે. તે તણાવ જેવી સમસ્યાઓને ઓછી કરવામાં પણ મદદ કરે છે. આ યોગ આસન કરવા માટે હાથ ઉપરની તરફ ઉંચા કરો. એકસાથે હાથ જોડવાનો પ્રયાસ કરો. એક ઊંડા શ્વાસ લો. થોડો સમય આ સ્થિતિમાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા આવો.

વીરભદ્રાસન પણ તમારા મનને શાંત કરવામાં મદદ કરે છે. આ આસન કરવા માટે તમારા પગને ફેલાવીને ઊભા રહો. ફોટોમાં બતાવેલી મુદ્રામાં રહેવાનો પ્રયાસ કરો. ઘૂંટણને આગળની દિશામાં રાખવાનો પ્રયાસ કરો. હવે તમારા હાથ ફેલાવો અને ઊંડો શ્વાસ લો. થોડીક સેકન્ડો માટે આ મુદ્રામાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા આવો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code