1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોરોનાના 12131 કેસ નોંધાયા, અમદાવાદમાં 4046 કેસ, રાજ્યમાં 30 નાં મોત
ગુજરાતમાં કોરોનાના 12131   કેસ નોંધાયા, અમદાવાદમાં 4046 કેસ, રાજ્યમાં 30 નાં મોત

ગુજરાતમાં કોરોનાના 12131 કેસ નોંધાયા, અમદાવાદમાં 4046 કેસ, રાજ્યમાં 30 નાં મોત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે શુક્રવારે ઘટાડો નોંધાયો હતો.   આજે શુક્રવારે રાજ્યમાં કોરોનાના 12131   કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4046 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 30 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 7, સુરત શહેર -1 અને જિલ્લામાં -2, વડોદરા શહેર-3, અને જિલ્લામાં-1, રાજકોટ શહેરમાં-4 અને જિલ્લામાં-1 ભાવનગર શહેર-2, અને જિલ્લામાં-1, ભરૂચ-2,  જામનગર-1,  ગાંધીનગર-1,  તેમજ વલસાડ-2, પંચમહાલ-1, મહીસાગર-1,નો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 1,94,350  લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,73,85,041 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 89.56 ટકા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. પણ મૃત્યુનો દર વધ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે ગુરૂવારે રાજ્યમાં કોરોનાના 12911  કેસ નોંધાયા હતા. આજે શુક્રવારે 12131  કેસ નોંધાતા 780  કેસનો ઘટાડો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે ગુરૂવારે 4405 કેસ નોંધાયા હતા. જ્યારે આજે શુક્રવારે 4046 કેસ નોંધાતા 359 કેસનો ઘટાડો થયો છે.  રાજ્યમાં આજે 22070 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 107915 છે. જેમાં વેન્ટીલેટર પર 297 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 107618 છે,

ગુજરાતમાં કોરોનાના આજે 12131 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 4046 કેસ, સુરત શહેરમાં 628 કેસ, વડોદરા શહેરમાં 1999  કેસ, આણંદમાં 138  કેસ, કચ્છમાં 206 કેસ, રાજકોટ શહેરમાં 958 કેસ, ખેડામાં 129, કેસ  ભરૂચમાં 148  કેસ, અમદાવાદ જિલ્લામાં 78  કેસ, ગાંધીનગર શહેરમાં 271  કેસ, અને જિલ્લામાં 128, રાજકોટ જિલ્લામાં 255 કેસ, ભાવનગર શહેરમાં 185 કેસ અને જિલ્લામાં 23 કેસ, જામનગર શહેરમાં 176 કેસ, તેમજ સાબરકાંઠામાં 106 અને બનાસકાંઠામાં 157 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે  30નાં મોત નિપજ્યા હતા.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code