દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20528 નવા કેસ નોંધાયા,49 દર્દીઓના મોત
- 24 કલાકમાં કોરોનાના 20528 નવા કેસ
- કોરોનાથી 49 દર્દીઓના થયા મોત
- એક્ટિવ કેસની સંખ્યા 143000ને પાર
દિલ્હી:ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 20,528 નવા કેસ નોંધાયા છે, જ્યારે 49 દર્દીઓના મોત પણ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક રિપોર્ટમાં આ માહિતી આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સક્રિય કેસોની સંખ્યા વધીને 143,449 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 199.98 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના કેસ 7મી ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23મી ઓગસ્ટે 30 લાખ, 5મી સપ્ટેમ્બરે 40 લાખ અને 16મી સપ્ટેમ્બરે 50 લાખને વટાવી ગયા હતા. તે 28 સપ્ટેમ્બરે 60 લાખ અને 11 ઓક્ટોબરે 70 લાખને પાર કરી ગયો હતો. 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડનો આંકડો વટાવી ગયો.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા 4 મેના રોજ 2 કરોડ, ગયા વર્ષે 23 જૂને 3 કરોડ અને આ વર્ષે 25 જાન્યુઆરીએ 4 કરોડને વટાવી ગઈ હતી.
કોરોના રસીકરણના મામલામાં દેશમાં એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. સંભવ છે કે આજે દેશમાં રસીકરણની કુલ સંખ્યા બે અબજ ડોઝ સુધી પહોંચી શકે છે. આ સાથે ભારત બે અબજથી વધુ ડોઝ આપનારો વિશ્વનો બીજો દેશ બની જશે. ભારત કરતાં વધુ રસીના ડોઝ માત્ર ચીનમાં જ લાગુ કરવામાં આવ્યા છે.