1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દ્વારકાના નિર્જન ગણાતા 21 ટાપુઓ પર પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહીં કરી શકાય
દ્વારકાના નિર્જન ગણાતા 21 ટાપુઓ પર પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહીં કરી શકાય

દ્વારકાના નિર્જન ગણાતા 21 ટાપુઓ પર પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહીં કરી શકાય

0
Social Share

દેવભૂમિ દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાનો પર્યટન ક્ષેત્રે પણ સારોએવો વિકાસ થયો છે. દ્વારકા જિલ્લો પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર  2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદે અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. તેથી 21 ટાપુઓ પર મંજુરી વિના પ્રવેશ આપવામાં નહીં આવે, જિલ્લાના સત્તાધિશોએ જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં 21 જેટલા ટાપુઓમાં માનવ વસતિ નથી. આ ટાપુઓ પરથી અફાટ દરિયાને નિહાળવા માટે ઘણા પ્રવાસીઓ પહોંચી જતા હોય છે. કેટલાક હોડીવાળાઓ પણ પ્રવાસીઓને ટાપુઓ પર લઈ જવાની લાલચ આપતા હોય છે. ટાપુઓ નિર્જન હોવાથી તેના પર અસામાજિક પવૃતિઓ થઈ શકે તેવી દહેશત છે.આવી પ્રવૃતિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટએએક જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લામાં આવેલા 21 ટાપુ પર પુર્વમંજુરી વગર પ્રવેશ પર પ્રતિબંધ લાદયો છે. જાહેરનામાંમાં જે ટાપુઓના નામ આપવામાં આવ્યા છે તેમાં ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્‍ણા ટાપુ, કુડચલી ટાપુ સહિતનો સમાવેશ થાય છે. આ તમામ 21 ટાપુઓ પર મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી મેજીસ્ટ્રેટની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૦2/11/2021 સુધી અમલમાં રહેશે.જયારે આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code