1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વલસાડની કંપનીમાં બ્લાસ્ટ થતા 3ના મોત, બે ગંભીર
વલસાડની કંપનીમાં બ્લાસ્ટ થતા 3ના મોત, બે ગંભીર

વલસાડની કંપનીમાં બ્લાસ્ટ થતા 3ના મોત, બે ગંભીર

0
Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડમાં એક કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 3 વ્યક્તિઓના મોત થતા ખળભળાટ મચી ગયો હતો. આ બ્લાસ્ટમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. મૃત્યુઆંક વધવાની શકયતા છે. કંપનીમાં થયેલા બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લામાં સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં રાતના સમયે કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન અચાનક ભેદી સંજોગોમાં બ્લાસ્ટ થયો હતો. જેથી કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. એક કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.

તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા કવાયત શરૂ કરી હતી. પોલીસે જણાવ્યા મુજબ હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી અને બ્લાસ્ટનું કારણ પણ જાણી શકાયું નથી. આગની ઝપેટમાં બે લોકો બળીને ભડથું થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code