1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં RTE હેઠળ ચાર સ્કુલોમાં 308 બાળકોને વાલીઓએ ખોટી આવક બતાવીને પ્રવેશ અપાવ્યો
અમદાવાદમાં RTE હેઠળ ચાર સ્કુલોમાં 308 બાળકોને વાલીઓએ ખોટી આવક બતાવીને પ્રવેશ અપાવ્યો

અમદાવાદમાં RTE હેઠળ ચાર સ્કુલોમાં 308 બાળકોને વાલીઓએ ખોટી આવક બતાવીને પ્રવેશ અપાવ્યો

0
Social Share

અમદાવાદઃ શહેરમાં આરટીઈ હેઠળ ઓછી આવક હોય તેવા વાલીઓના બાળકોને ખાનગી શાળાઓમાં સરકાર દ્વારા પ્રવેશ અપાવવામાં આવે છે. અને આવા બાળકોની ફી પણ સરકાર ભરે છે. શહેરના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અરજીઓ મંગાવીને વાલીઓની આવકના જરૂરી દસ્તાવેજો ચકાસીને બાળકોને પ્રવેશ માટે જે તે શાળાને ભલામણ કરવામાં આવતી હોય છે. આ વર્ષે કેટલાક વાલીઓએ પોતાની વધુ આવક હોવા છતાં ઓછી આવક દર્શાવીને પોતાના બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ અપાવ્યો હોવાની વિગતો મળતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ તપાસ હાથ ધરી છે.

RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ ખોટી આવક બતાવીને એડમિશન લેનારા વાલીઓ સામે એક્શન લેવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. કહેવાય છે. કે, શહેરની ચાર સ્કૂલોમાં 308 વાલીઓએ રજૂ કરેલા આવકના દાખલા કરતાં વધુ આવક હોવા છતાં ખોટી રીતે બાળકનો પ્રવેશ કરાવ્યો હોવાના પુરાવા સ્કૂલો દ્વારા શિક્ષણ અધિકારીની કચેરીને આપવામાં આવ્યાં છે. આગામી સમયમાં તમામ વાલીઓને શિક્ષણાધિકારીની કચેરીમાં બોલાવીને આ મુદ્દે સુનાવણી હાથ ધરાશે. જો વાલીઓ ખોટા સાબિત થશે તો ચાલુ વર્ષના અંત સુધીમાં RTE હેઠળ મેળવેલું એડમિશન રદ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ આવકના દાખલાના આધારે વાલીઓ ખાનગી સ્કૂલોમાં પોતાના બાળકનું એડમિશન કરાવતા હોય છે. આ વખતે એડમિશન લેવા માટે વાલીઓએ આઈટી રીટર્નનું સર્ટીફિકેટ પણ મુકવાનું હતું. જે કેટલાક વાલીઓએ મુક્યુ નહોતુ. સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાના ચાર મહિના બાદ ખાનગી રાહે તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્કૂલો દ્વારા વાલીઓના આવકના દાખલામાં દર્શાવેલી આવક કરતાં વધુ હોવાના પૂરાવા શિક્ષણાધિકારીને સોંપવામાં આવ્યાં છે.  શહેરની ઉદગમ, ઝેબર,આનંદ નિકેતન અને ગ્લોબલ ઈન્ડિયા સ્કૂલ દ્વારા સ્કૂલમાં RTE હેઠળ એડમિશન મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓના ડોક્યુમેન્ટની ખાનગી રાહે તપાસ કરવામાં આવી હતી. સ્કૂલો દ્વારા થયેલી તપાસમાં 308 વિદ્યાર્થીના વાલીઓએ આવક કરતાં ઓછી આવકના દાખલાના આધારે એડમિશન મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ દ્વારા વાલીઓના આઈટી રિટર્ન DEO કચેરીને આપવામાં આવ્યા છે. DEO દ્વારા તમામ વાલીઓને બોલાવીને સુનાવણી કરવામાં આવશે, જેમાં વાલીની રજૂઆત પણ સંભાળવામાં આવશે.

આ અંગે શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરમાં ચાર અલગ અલગ સ્કૂલોએ વાલીઓના આઈટી રીટર્ન અમને આપ્યાં છે. જેમાં વાલીની આવક નિયત ધારધારણ કરતા વધુ છે. અમે તમામ વાલીઓને રૂબરૂ બોલાવીને સુનાવણી કરીશું. વાલી ખોટા હશે તો વર્ષના અંત સુધીમાં RTE હેઠળથી એડમિશન રદ કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code