1. Home
  2. ગુજરાતી
  3. કાનપુરમાં મોડી રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 4 ના મોત,બે ગંભીર  
કાનપુરમાં મોડી રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 4 ના મોત,બે ગંભીર  

કાનપુરમાં મોડી રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 4 ના મોત,બે ગંભીર  

0
Social Share
  • કાનપુરમાં મોડી રાત્રે માર્ગ અકસ્માત સર્જાયો
  • અકસ્માતને પગલે 4 લોકોના નિપજ્યા મોત
  • બે લોકો ગંભીર રીતે થયા ઘાયલ  

લખનઉ:કાનપુરના બિધનુમાં કનૌડિયા પેટ્રોલ પંપ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે ચાર લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ હતા.કાર અને ડીસીએમ વચ્ચે સામસામે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો.અથડામણને કારણે કારના કુરચેકુરચા બોલાય ગયા હતા.જ્યારે બેકાબૂ ડીસીએમ ખાડામાં પલટી મારી હતી.

બનાવની જાન થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.પોલીસે જણાવ્યું હતું કે,રાત્રે લગભગ 12.30 વાગ્યે ઘાટમપુર તરફ જઈ રહેલી કાર મટિયારા ગામ પાસે હાઈસ્પીડ ડીસીએમ સાથે અથડાઈ હતી.

કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.જેમાં ચાર યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.પલટી મારેલી ડીસીએમનો ડ્રાઈવર અને હેલ્પર નાસી છૂટ્યા હતા.પોલીસે કારની બોડી કાપીને ઘાયલ ચારેયને હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.હૈલટમાં અન્ય બે લોકોને પણ તબીબોએ મૃત જાહેર કર્યા હતા.હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code