1. Home
  2. ગુજરાતી
  3. દિવાળીનો માહોલ, રાજકોટમાં એક જ દિવસમાં 68 હજાર લોકોએ બસમાં ટિકીટ બુક કરી
દિવાળીનો માહોલ, રાજકોટમાં એક જ દિવસમાં 68 હજાર લોકોએ બસમાં ટિકીટ બુક કરી

દિવાળીનો માહોલ, રાજકોટમાં એક જ દિવસમાં 68 હજાર લોકોએ બસમાં ટિકીટ બુક કરી

0
Social Share
  • એસટી બસમાં દિવાળીના તહેવારની અસર
  • 68 હજાર ટિકીટો ઓનલાઈન બુક થઈ
  • મુસાફરોની વ્યાપક ભીડ

રાજકોટ: એસ.ટી. વિભાગદ્વારા ગઈકાલથી રાજકોટ સહિત રાજ્યભરમાં દિવાળીના તહેવારો અનુસંધાને 2300 જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલન શરૂકરી દેવામાં આવ્યું છે. આ એકસ્ટ્રા સંચાલનના કારણે એસટી તંત્રને સારો એવો ફાયદો થઈ રહ્યો છે સાથો સાથ તહેવારોની રજાઓ પણ જાહેર થઈ ગઈ હોય દરેક બસસ્ટેશનો ઉપર મુસાફરોની વ્યાપક ભીડ નજરે પડી રહી છે.

આ ઉપરાંત તહેવારોમ લોકો પોતપોતાના વતન તરફ દોડ મુકી રહ્યા છે. તો ઘણા અન્ય સ્થળોએ ફરવા માટે જઈ રહ્યા છે. આથી એસટી નિમગનું ઓનલાઈન બુકીંગનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે.

ઉલ્લેખનીય છે કે તહેવારના સમયમાં લોકો પોતાના વતન કે ગામ પરત ફરી રહ્યા હોય, અથવા કેટલાક લોકો ખરીદી માટે પણ શહેરોમાં આવતા હોય છે તે આ કારણે રાજ્યના દરેક શહેરમાં અત્યારે બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code