
જૂનાગઢમાં કેરી અને ચીકુના તૈયાર પાકનો કચ્ચરઘાણ, ખેડૂતોના મોઢે આવેલો કોળીયો ઝુંટવાયો
- ‘તાઉ તે’ વાવાઝોડાની જોવા મળી અસર
- કેરી-ચીકુનો તૈયાર પાક નાશ પામ્યો
- ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝુટવાયો
જૂનાગઢ: ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાની અસર વિશે જે રીતે કહેવામાં આવ્યું હતું તે રીતે થયુ હોય તેવુ લાગી રહ્યું છે. તાઉતે વાવાઝોડના કારણે કેટલાક લોકોની સંપતિને નુકસાન થયુ છે તો બીજી બાજુ ખેડૂતોને પણ ભારે નુક્સાન થયુ હોવાનું સામે આવ્યું છે.
ખેડૂતો દ્વારા હજારો રૂપિયા ખર્ચી કેરી અને ચીકુના બગીચાઓની માવજત કરી પાક તૈયાર થયો હતો. ત્યાં વાવાઝોડાએ વિનાશ વેરી નાખતા ખેડૂતોને માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે.જૂનાગઢ જિલ્લામાં કેરી, ચીકુ તેમજ તલનો પાક સાવ નિષ્ફળ ગયો છે. ખેડૂતો દ્વારા આગામી સમયમાં આ બાબતે વળતરની માગ ઉઠી શકે છે, અને કારણે છે કે કેરીના બગીચાઓમાં 90 ટકા પાક વાવાઝોડાથી ખરી ગયો છે.માર્કેટિંગ યાર્ડમાં આ કેરી વેચવાને પણ લાયક નથી રહી ત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝુટવાતા ખેડૂતો સરકાર પાસે સહાયની આજીજી કરી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેરીના બગીચાઓ નાશ પામતા ખેડૂતો પાયમાલ બન્યા છે.
આગામી સમયમાં ખેડૂતોની સ્થિતિને અને નુક્શાનને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કદાચ મદદ કરવામાં આવી શકે. જેથી ખેડૂતોને આર્થિક રીતે થોડી રાહત મળી શકે.