
- ઝારખંડમાં 3 જૂની સુધી લંબાવાયું લોકડાઉન
- ચક્રવાતને લઈને ઝારખંડ સરકાર એલર્ટ
- વિતેલા દિવસે સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લીધો નિર્ણય
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી તરંગે હાહાકાર મચાવ્યો છે, જેને લઈને કેટલાક રાજ્યામાં લોકડાઇન લગાવાયું છે તો કેટચલાક રાજ્યોમાં આશિંક પ્રતબિંધો લાગૂ કરવામાં આવ્યા છે, ત્યારે હવે રોરોનાર્ના સંકટને જોતા ઝારખંડમાં લોકડાઉનની સમયમર્યાદા 3 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે. આ સમય દરમિયાન પહેલાથી અમલમાં મૂકવામાં આવેલા તમામ પ્રતિબંધો ચાલુ રહેશે. મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી બેઠકમાં આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાથે જ સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઝારખંડ પર વાવાઝોડાની સંભવિત અસર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને ચક્રવાતને પહોંચી વળવા કડક સૂચના પણ સંબંધિત અધિકારીઓને આપવામાં આવી છે.અને સતર્કતાના પગલા લેવા જણાવ્યું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં બપોરે 2 વાગ્યા સુધી સચિવાલય ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, સંયુક્ત સચિવના સ્તરથી ઉપરના તમામ અધિકારીઓએ સચિવાલયમાં આવવાનું રહેશએ, જ્યારે સચિવાલયના વિવિધ વિભાગો 33 ટકા કર્મચારીઓ સાથે કામ કરશે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ ડો.અમિતાભ કૌશલ, મુખ્યમંત્રીશ્રીને ઝારખંડમાં ચક્રવાતી વાવાઝોડા યાસની અસર, બચાવ અને રાહત માટેની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી મુજબ આવતીકાલે ઓડીશાના દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકશે.
આ ઉપરાંત, ઇ-પાસ ફરજિયાત રહેશે, તેમ છતાં, સરકારી કર્મચારીઓ, મીડિયા પર્સન અને મોટી કંપનીઓ અથવા કારખાનાઓમાં કામ કરતા લોકોનો ડ્યુટી પાસ માન્ય રહેશે. આ તમામને ઇ-પાસના આદેશથી મુક્તિ આપવામાં આવી છે.
આ ચક્રવાતની અસર ઝારખંડમાં પણ જોઇ શકાય છે. આ વાવાઝોડાથી પૂર્વ સિંઘભૂમ, પશ્ચિમ સિંઘભૂમ, સરાઇકેલા-ખરસાંવા, ગુમલા, ખુન્ટી અને સિમડેગાને વધુ અસર થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. આ વિસ્તારોમાં 90 કિ.મી. અથવા તેથી વધુ ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.. અહીં ચક્રવાતી તોફાન યાસની અસર 26-27 મેના રોજ વધુ રહેશે, જ્યારે 28 મીએ ધીમી થવાની ધારણા છે.