1. Home
  2. ગુજરાતી
  3. સાતમ-આઠમની રજાઓમાં પર્યટન સ્થળોએ હોટલ-ટ્રાવેલ્સના બુકિંગમાં 60 ટકાનો વધારો
સાતમ-આઠમની રજાઓમાં પર્યટન સ્થળોએ હોટલ-ટ્રાવેલ્સના બુકિંગમાં 60 ટકાનો વધારો

સાતમ-આઠમની રજાઓમાં પર્યટન સ્થળોએ હોટલ-ટ્રાવેલ્સના બુકિંગમાં 60 ટકાનો વધારો

0
Social Share

રાજકોટઃ ગુજરાતીઓ હરવા-ફરવાના શોખિન હોય છે. જેમાં સૌરાષ્ટ્રમાં આ વર્ષે સાતમ-આઠમના લોક મેળાઓ યોજાવાના નથી, એટલે લોકો સાતમ-આઠમની રજાઓમાં પર્યટન સ્થળોએ જવા માટે બુકિંગ કરાવવા લાગ્યા છે. ટુરીઝમ ક્ષેત્રમાં સાતમ-આઠમના તહેવારોનું આશ્ચર્યજનક રીતે સામાન્ય કરતા 60 ટકા બુકિંગ વધી ગયું છે. કોરોનાના લીધે છેલ્લા કેટલાક સમયથી ઘરમાં રહીને કંટાળેલા સૌરાષ્ટ્રવાસીઓ આ વખતે સાતમ-આઠમમાં ફરવાના જોરદાર મૂડમાં આવી ગયા હોય તેમ આ વખતે રાજસ્થાન અને ગુજરાતના ફરવાલાયક સ્થળો પર પહોંચવાના છે.

સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વનું વિશેષ મહાત્મય છે. સાતમ-આઠમના તહેવારોમાં સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયાનું મીની વેકેશન આવતું હોવાથી મોટાભાગના સહેલાણીઓ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રીપ નો પ્લાન કરતા હોય છે. આ પ્લાન પર કોરોના ના લીધે છેલ્લા દોઢ વર્ષથી પાણી ફરી ગયું હતું આખું વર્ષ ઘરમાં રહી ને જ તહેવારોની રજાની મજા માણી હતી પરંતુ આ વર્ષે ફેમિલી અને ફ્રેન્ડસ સાથે એક મહિના અગાઉથી હરવા ફરવા લાયક સ્થળો પર જવા માટે  બુકિંગ કરાવી લીધા છે.

રાજકોટના ટૂર ઓપરેટર્સના જણાવ્યા મુજબ સાતમ આઠમના વેકેશનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રવાસીઓ ફરવા માટે જતા હોય છે આ વખતે કોરોનાના લીધે દૂરના બદલે નજીકના સ્થળોને જ પસંદ કર્યા છે જેમાં ખાસ કરીને પોતાના વાહનને લઈને જઈ શકે એના માટે રાજસ્થાન અને ગુજરાત હોટ ફેવરિટ છે. કોરોનાના લીધે લોકલ ટુરિઝમને વેગ મળ્યો છે. પ્રતિ વર્ષની સરખામણીએ આ વખતે 60 ટકા બુકિંગ વધ્યું છે. ઇન્ટરનેશનલ ટુરીઝમ માત્ર માલદીવમાં જવાની મંજૂરી હોવાથી તેના માટે ઇન્કવાયરીઓ આવી રહી છે. ટ્રાવેલ્સ ઓપરેટરના જણાવ્યા અનુસાર, ગોવા માટે પણ સારી ઇન્કવાયરી છે ધીમે ધીમે કોરોનાના નિયમો હળવા થઈ રહ્યા હોવાથી અને રાજકોટથી ગોવા ની સીધી ફ્લાઈટ અને ટ્રેન મળતી હોવાથી પેસેન્જર માટે પણ સારી સુવિધા ઊભી થઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code