
પીએમ મોદી સહીત અનેક નેતાઓએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી
- ગણેશ ચતુર્થીનો તહેવાર આજથી શરૂ
- પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભકામના
- દેશવાસીઓને ગણેશ ચતુર્થીની પાઠવી શુભકામનાઓ
દિલ્હી:ગણેશ ચતુર્થીનો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે, આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકોને શુભેચ્છા પાઠવતા કોવિડ નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે. રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને ગણપતિ બાપ્પા મોર્યા લખ્યું ! ગણેશ ચતુર્થીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. હું ઈચ્છું છું કે વિઘ્નહર્તા ગણેશ કોવિડ -19 સામેના અમારા પ્રયાસોને સફળ બનાવે અને દરેકને સુખ અને શાંતિ સાથે આશીર્વાદ આપે. ચાલો આપણે બધા આ તહેવારને કોવિડ-ફ્રેન્ડલી રીતે વ્યવહાર કરીને ઉજવીએ.
આ પ્રસંગે પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, તમને બધાને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. આ શુભ પ્રસંગ દરેકના જીવનમાં સુખ, શાંતિ, સૌભાગ્ય અને આરોગ્ય લાવે. ગણપતિ બાપ્પા મોર્યા ! આ સાથે જ દેશના ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી હતી.
आप सभी को गणेश चतुर्थी की मंगलकामनाएं। यह पावन अवसर हर किसी के जीवन में सुख, शांति, सौभाग्य और आरोग्य लेकर आए। गणपति बाप्पा मोरया!
— Narendra Modi (@narendramodi) September 10, 2021
10 દિવસ લાંબો ચાલતો ગણેશ ચતુર્થી ઉત્સવ કોવિડ -19 પ્રતિબંધો અને પ્રોટોકોલ વચ્ચે ઉજવવામાં આવશે. નિષ્ણાતોએ ખાસ કરીને મહારાષ્ટ્રમાં, લોકોને જાહેર મેળાવડા અંગે સાવચેત રહેવા વિનંતી કરી છે. ગયા વર્ષે પણ કોવિડ -19 મહામારીને કારણે દેશના ઘણા ભાગોમાં ગણેશ ચતુર્થીના કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.