1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત્, બોર્ડરની બીજી તરફ લોંચ પેડ પર 400 આતંકીઓ મોજૂદ: આર્મી ચીફ નરવણે
પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત્, બોર્ડરની બીજી તરફ લોંચ પેડ પર 400 આતંકીઓ મોજૂદ: આર્મી ચીફ નરવણે

પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત્, બોર્ડરની બીજી તરફ લોંચ પેડ પર 400 આતંકીઓ મોજૂદ: આર્મી ચીફ નરવણે

0
Social Share
  • પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવી રહ્યું નથી
  • બોર્ડરની બીજી તરફ લોંચ પેડ પર 400 આતંકીઓ મોજૂદ
  • ભારતના આર્મી ચીફ એમ એમ નરવણેએ આ ખુલાસો કર્યો

નવી દિલ્હી: એક તરફ કાશ્મીરમાં સુરક્ષાદળો અનેકવાર એન્કાઉન્ટર કરીને અનેક આતંકીઓનો સફાયો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આતંકીઓનું આશ્રયદાતા પાકિસ્તાન પોતાની નાપાક હરકતો સતત દોહરાવતા કાશ્મીરમાં વધુને વધુ આતંકીઓને ઘૂસાડવાની ફિરાકમાં છે.

પાકિસ્તાનની નાપાક હરકતો અંગે વાત કરતા ભારતના આર્મી ચીફ જનરલ નરવણેએ કહ્યું કે, પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામના ભંગની ઘટનાઓ ભલે ઓછી થઇ છે પરંતુ તે પોતાની હરકતોથી બાજ આવી રહ્યું નથી. પાકિસ્તાન સતત આતંકીઓની ઘૂસણખોરી કરવાના પ્રયાસો કરી રહ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમને જે ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા છે તે અનુસાર બોર્ડરની બીજી તરફ લોંચ પેડ અને ટ્રેનિંગ કેમ્પમાં હાલમાં 400 આતંકીઓ હાજર છે. એટલે કે હજુ પણ ઘૂસણખોરીનો ખતરો યથાવત્ છે. આપણે દરેક સેકેન્ડે સતર્ક અને સજાગ રહેવું પડશે.

આતંકવાદ સામે ભારતની સેનાએ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હોવાનું પણ આર્મી ચીફે ઉમેર્યું હતું. જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ સુધરી રહી છે. આતંકવાદીઓને હવે સ્થાનિક લોકોની મદદ મળી રહી નથી. એટલે આતંકીઓ અત્યારે અન્ય રાજ્યોના લોકોને અને લઘુમતીઓને નિશાન બનાવી રહ્યાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code