
પાણીને ગરમ કરવા ગીઝરનો ઉપયોગ કરો છો? તો ચેતી જજો નહીં તો જીવ ગુમાવવો પડશે
- પાણીને ગરમ કરવા ગીઝરનો ઉપયોગ કરો છો?
- તો ચેતી જજો
- નહીં તો જીવ ગુમાવવો પડશે
પહેલાના સમયમાં એવું હતું કે લોકો લાકડાના ચૂલા પર પાણીને ગરમ કરતા હતા, તે પછી સમય આવ્યો તો લોકો ગેસના બાટલા પર પાણીને ગરમ કરવા લાગ્યા અને હવે ગીઝરનો ઉપયોગ કરવા લાગ્યા. ગીઝરનો ઉપયોગ ક્યારે જોખમી પણ સાબિત થતો હોય છે જે જીવ ગુમાવવાનું પણ કારણ બની શકે છે.
ગેસ ગીઝર એવી જગ્યાએ ન મુકો જ્યાં આખી જગ્યા ભરાઈ ગઈ હોય. બાથરૂમ અને રસોડામાં પણ તેને લગાવતી વખતે ધ્યાન રાખો કે આસપાસ જગ્યા હોય અને હવાની યોગ્ય વ્યવસ્થા હોય. જો તમે તમારા ઘરના બાથરૂમમાં ગેસ ગીઝર લગાવી રહ્યા છો, તો ધ્યાન રાખો કે ત્યાં વેન્ટિલેટરની જગ્યા છે.
બાથરૂમમાં ગેસ ગીઝરનો ઉપયોગ કરતી વખતે એક્ઝોસ્ટ ફેન ચલાવો. જો તમારા ગેસ ગીઝરમાંથી કોઈ પ્રકારનું લીકેજ થતું હોય તો તેનો ઉપયોગ ન કરો અને સમયાંતરે ગેસ ગીઝરને ચેક કરતા રહો જેથી કરીને કોઈપણ પ્રકારની દુર્ઘટનાથી બચી શકાય. આખો દિવસ ગેસ ગીઝર ન ચલાવો. જો ઘરમાં એક કરતાં વધુ લોકો તેનો ઉપયોગ કરતા હોય તો યોગ્ય ગેપ કરીને જ ગેસ ગીઝર ચલાવો. જો ગેસ ગીઝરમાંથી ગેસ લીક થઈ રહ્યો છે અને તમને ઉધરસ અને ગૂંગળામણની ફરિયાદ છે, તો તરત જ ગીઝર બંધ કરો અને હવાની અવરજવરવાળી જગ્યા પર જાઓ.
થોડા દિવસ પહેલા જ ગેસ ગીઝરમાં હાજર કાર્બન મોનોક્સાઇડ ગેસનો થોડોક પણ શ્વાસ લો છો, તો તે તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે. કાર્બન મોનોક્સાઇડની વધુ માત્રાવાળા વાતાવરણમાં શ્વાસ લેવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે.
ગુરુગ્રામમાં હોટલના બાથરૂમમાં ગેસ ગીઝર પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે ગેસ ગીઝરમાં રહેલા ઝેરી ગેસના કારણે સત્યદેવ નામના વ્યક્તિનું મોત થયું છે. આ મહિનાની શરૂઆતમાં, દિલ્હીના દ્વારકામાં ગેસ ગીઝરને કારણે 13 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીના મોતનું કારણ કાર્બન મોનોક્સાઇડ ગેસ જણાવવામાં આવ્યું હતું.