1. Home
  2. ગુજરાતી
  3. અમિત શાહ આજે મુંબઈના લોકપ્રિય ગણપતિ પંડાલમાં જશે,સીએમ એકનાથ શિંદે પણ તેમની સાથે રહેશે
અમિત શાહ આજે મુંબઈના લોકપ્રિય ગણપતિ પંડાલમાં જશે,સીએમ એકનાથ શિંદે પણ તેમની સાથે રહેશે

અમિત શાહ આજે મુંબઈના લોકપ્રિય ગણપતિ પંડાલમાં જશે,સીએમ એકનાથ શિંદે પણ તેમની સાથે રહેશે

0
Social Share

મુંબઈ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈની બે દિવસની મુલાકાતે રવિવારે રાત્રે અહીં પહોંચ્યા હતા અને સોમવારે સ્થાનિક લાલબાગ ચા રાજા સહિત કેટલાક અગ્રણી ગણપતિ પંડાલોની મુલાકાત લેશે. ભાજપના એક નેતાએ આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે,ગૃહમંત્રી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે.

તેમણે જણાવ્યું કે શાહ રવિવારે રાત્રે મુંબઈ પહોંચ્યા હતા. બીજેપીના મુંબઈ એકમના અધ્યક્ષ આશિષ શેલારે કહ્યું કે, અમિત શાહ સોમવારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે બેઠક કરશે. તે ‘લાલબાગ ચા રાજા’ સહિત મુંબઈના કેટલાક અગ્રણી ગણપતિ પંડાલોની મુલાકાત લેશે

તેમણે કહ્યું કે શાહ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસસ્થાને પણ જશે અને પવઈમાં એએમ નાયક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. ભાજપના અગ્રણી વ્યૂહરચનાકાર શાહની મુંબઈની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થવાની છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code