1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ કાશ્મીરના રાજૌરી વહેલી સવારે સેનાના ગોળીબારમાં બે સ્થાનિકોના મોત – લોકોએ નોંધાવ્યો વિરોધ
જમ્મુ કાશ્મીરના રાજૌરી વહેલી સવારે સેનાના ગોળીબારમાં બે સ્થાનિકોના મોત  – લોકોએ નોંધાવ્યો વિરોધ

જમ્મુ કાશ્મીરના રાજૌરી વહેલી સવારે સેનાના ગોળીબારમાં બે સ્થાનિકોના મોત – લોકોએ નોંધાવ્યો વિરોધ

0
Social Share
  • રાજૌરીમાં સેનાના ગોળીબારમાં બે લોકોના મોત
  • સ્થાનિકોએ કર્યો વિરોધ
  • આજે વહેલી સવારની ઘટના બાદ રસ્તાઓ જામ કરાયા

શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીરમાં રાજોરી જિલ્લામાં બે સ્થાનિક નાગરિકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આર્મી કેમ્પની નજીક શંકાસ્પદ ગતિવિધિ જોતા સૈનિકોએ ગોળીબાર કર્યો, જેમાં બે લોકોના મોત થયા. જ્યારે એકને ઈજા થઈ હતી. આ મૃત્યપ પામેલા બંને સ્થાનિક નાગરિક છે. જેનું નામ શાલિન્દર કુમાર અને કમલ કિશોર, બંને રાજૌરીના રહેવાસીઓ ગોળીબારમાં માર્યા ગયા હતા, 

જાણકારી પ્રમાણે સ્થાનિકોના મોત બાદ અહી વિરોધ થી રહ્યો છે લોકો રસ્તાપર ઉતરી આવ્યા છે.પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે શુક્રવારે સવારે આર્મી સંત્રીએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પીડિતો જેઓ સેનામાં કુલી તરીકે કામ કરતા હતા. સવારે લગભગ 6.15 વાગ્યે, તે આર્મી કેમ્પના આલ્ફા ગેટ પાસે આવી રહ્યો હતો, તે દરમિયાન તેના પર ગોળીબાર કરવામાં આવ્યો.

અધિકારીઓએ આપેલી જાણકારી પ્રમાણે આ ગોળીબારનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ વિસ્તારમાં સ્થિતિ તંગ છે અને રોષે ભરાયેલા લોકોએ આર્મી કેમ્પ પર પથ્થરમારો કર્યો હતો, ત્યારબાદ હાઇવે બ્લોક કરી દીધો હતો. પ્રદર્શનકારીઓ મૃતકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયા વળતર, સંબંધીઓને નોકરી, બાળકો માટે મફત શિક્ષણ અને આ મામલે એફઆઈઆર કરવાની પણ માંગ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code