1. Home
  2. ગુજરાતી
  3. PM મોદી આજથી ઈન્દોર ખાતે શરુ થનારી 6ઠ્ઠી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધશે
PM મોદી આજથી ઈન્દોર ખાતે  શરુ થનારી 6ઠ્ઠી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધશે

PM મોદી આજથી ઈન્દોર ખાતે શરુ થનારી 6ઠ્ઠી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધશે

0
Social Share
  • આજથી ઈન્દોર ખાતે શરુ થશે 6ઠ્ઠી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ
  • પીએમ મોદી આ સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધશે

ઈન્દોરઃ- મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસનું સમેમ્લેન યોજાઈ રહ્યું છે તો સાથએ જ આજથી 6ઠ્ઠી ગ્લોબલ ઈન્વેસ્ટ્રસ સમિટ પણ શરુ થવા જઈ રહી છે.જે આજે એટલે કે  11 અને 12 જાન્યુઆરીએ વૈશ્વિક રોકાણકારો સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

આજથી  યોજાનારી આ સમિટમાં 90થી વધુ મોટા ઉદ્યોગપતિઓ ભાગ લેશે. આ સિવાય સમિટમાં 300 થી વધુ પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આ બે દિવસીય સમિટમાં મધ્યપ્રદેશમાં કરોડોનું રોકાણ આવે તેવી શક્યતા છે.

પ્રથમ દિવસે બપોરે 2 વાગ્યાથી વિવિધ ક્ષેત્રો પર પાંચ સમાંતર સત્રો થશે. સત્રો કૃષિ, ફૂડ એન્ડ ડેરી પ્રોસેસિંગ, ફાર્માસ્યુટિકલ અને હેલ્થ કેર, નેચરલ ગેસ અને પેટ્રો કેમિકલ્સ સેક્ટર, રિન્યુએબલ એનર્જીમાં તકો પર હશે. તે જ દિવસે બપોરે 3 વાગ્યાથી કાપડ અને ગાર્મેન્ટ્સ પર વિશેષ સત્ર પણ યોજાવાનું છે.

વૈશ્વિક રોકાણકારો સમિટમાં વિવિધ વિષયો પર 19 સમાંતર સત્રો હશે. ઈન્દોરના બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરમાં આ સત્રોમાં ભારત અને વિદેશના રોકાણકારો ભાગ લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે સમિટનું ઉદ્ઘાટન કરશે અને તેને સંબોધિત કરશે.

જાણકારી પ્રમાણે આ ઉદ્ધાટન સત્રમાં સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી અને ગયાના પ્રમુખ ડો.મોહમ્મદ ઈરફાન અલી પણ સંબોધન કરશે. આ સહીત  વિદેશ મંત્રી એસ જયશંકર અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા વર્ચ્યુઅલ સંબોધન કરવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ સમિટને સંબોધિત કરશે.

સાંજે 4 થી 5:30 સુધી, શહેરી વિસ્તારોમાં આઇટી, પ્રવાસન, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ, ઇન્ફ્રા-સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર સત્રો યોજાશે. વિશેષ સત્ર ઓટો મોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ વિષય પર હશે.
tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code