1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરાયણ આજે કે કાલે? જાણો અહીં ઉત્તરાયને લગતી અનેક બાબતો, શુભ મહૂર્તથી લઈને દાનની વિશેષતાઓ સુધી
ઉત્તરાયણ આજે કે કાલે? જાણો અહીં ઉત્તરાયને લગતી અનેક બાબતો, શુભ મહૂર્તથી લઈને દાનની વિશેષતાઓ સુધી

ઉત્તરાયણ આજે કે કાલે? જાણો અહીં ઉત્તરાયને લગતી અનેક બાબતો, શુભ મહૂર્તથી લઈને દાનની વિશેષતાઓ સુધી

0
Social Share
  • ઘણા લોકો આવતી કાલે ઉત્તરાયણ મનાવશે
  • જો કે આજે પણ ઉત્તરાયણનો દિવસ છે

દેશભરમાં 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાતિનો તહેવાર ઉજવવામાં આવે છે , હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ એ વર્ષનો પ્રથમ તહેવાર છે. જ્યારે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ થાય છે.

આ સાથે જ આ દિવસથી  લગ્ન, મુંડન, વેધન જેવા શુભ અને શુભ કાર્યોની શરૂઆત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે સ્નાનની સાથે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે આવું કરવાથી પાપોમાંથી મુક્તિની સાથે પુણ્યની પ્રાપ્તિ થાય છે. 

જાણો મહૂર્ત

પંચાંગ અનુસાર સૂર્ય 14 જાન્યુઆરી 2023ના રોજ રાત્રે 8.21 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિના કારણે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે.

પુણ્યકાળ – 15 જાન્યુઆરી, 2023 ના રોજ સવારે 7.17 થી સાંજે 5.55 સુધી

મહા પુણ્યકાળ – 15 જાન્યુઆરી, 2023: સવારે 7.17 થી 9.04 સુધી

ગંગાજળથી સ્નાન કરવું શુભ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code