લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વર્ષ 2026-27 માટે ચાર સંસદીય સમિતિઓની પુનર્ગઠન કરી
નવી દિલ્હી, 02 મે 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષ 2026-27 માટે ચાર સંસદીય સમિતિઓનું પુનર્ગઠન કર્યું છે. લોકસભાના ભાજપના સાંસદ ડૉ. સંજય જયસ્વાલને લોકસભાની 30 સભ્યોની અંદાજ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જાહેર ઉપક્રમો પરની સમિતિ, જેમાં લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના સાત સભ્યોનો સમાવેશ થાય છે, તેની અધ્યક્ષતા ભાજપના સાંસદ બૈજયંત પાંડા કરશે.
લોકસભાના કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલને જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સમિતિમાં લોકસભાના 15 અને રાજ્યસભાના સાત સભ્યોનો સમાવેશ થાય છે. લોકસભામાં ભાજપના સાંસદ ફગ્ગન સિંહ કુલસ્તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ રહેશે. સમિતિમાં લોકસભાના 20 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. સમિતિઓનો કાર્યકાળ આવતા વર્ષના 30 એપ્રિલ સુધી ચાલશે.


