પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના શિહોરીની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી હતી. હોસ્પિટલનાઆઈસીયુ વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આ ઘટનામાં આઈસીયુમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એકનું મોત થયું હતું. જ્યારે બે બાળકોને સરકારી રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાં ડોક્ટર હાજર ન હોવાથી લોકો ડોક્ટરને ઘરે બોલાવવા ગયા હતા અને ત્યાં લોકો સાથે તેમણે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. સરકારી ડોક્ટરની મનમાનીના વિરોધમાં લોકરોષ ભભૂકી ઉઠ્યો હતો અને સરકારી હોસ્પિટલ પાસે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના શિહોરીમાં આવેલી ખાનગી ચાઈલ્ડ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એક બાળકનું મોત થયું હતું. જ્યારે અન્ય બાળકોને સારવાર અર્થે શિહોરીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જોકે, રેફરલ હોસ્પિટલના ડોક્ટરે મનમાની કરી હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા ભાગદોડ મચી હતી. જેને પગલે આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં હતા. આગે વિકરાર સ્વરૂપ ધારણ કરતા અન્ય બાળકોને સારવાર માટે શિહોરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ખાનગી હોસ્પિટલના ICUમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું માનવામાં આવે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ખાનગી ચાઈલ્ડ હોસ્પિટલના આઈસીયું માં આગની ઘટના બાદ એક બાળકનું મોચ નિપજ્યું હતું જ્યારે બે બાળકોને સરકારી હોસ્પિટલ ખસેડાતા રેફરલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ હોસ્પિટલમાં બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે પહેલા તો ડૉક્ટરે સારવાર કરવાની ના પાડી દીધી હતી અને મનમાની કરી હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યાં છે. જેને લઈ ડોક્ટર સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. ગંભીર હાલતમાં બાળકોને સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક એડમિટ ન કરાતાં અને ડોક્ટર દ્વારા મનમાની કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિહોરીની રેફરલ હોસ્પિટલના ડોક્ટરને બદલવાની માંગ સાથે શિહોરીના સ્થાનિક લોકો એકઠા થયા હતા. શિહોરી શહેરની તમામ દુકાનો બંધ કરીને લોકોએ ડોક્ટરની બદલી કરવાની માંગ કરી હતી.