1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રામ મંદિરના નિર્માણ માટે નિષ્ણાંતોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું
રામ મંદિરના નિર્માણ માટે નિષ્ણાંતોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું

રામ મંદિરના નિર્માણ માટે નિષ્ણાંતોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું

0
Social Share
  • રામ મંદિરના નિર્માણ માટે નિષ્ણાંતોની સમિતિનું ગઠન
  •  સમિતિ 15 ડિસેમ્બરના રોજ રિપોર્ટ સોંપસે

દિલ્હીઃ-અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારીઓ પુર જોરશોરથી શરુ કરવામાં આવી ચૂકી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી  હતી. આ બેઠકમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના પાયાની રચનાની સમીક્ષા અને ભલામણ અંગે સંબંધિત વિસ્તારના એન્જિનિયરોની પેટા સમિતિની રચના કરવામાં આવી હતી.

રામ મંદિર નિર્માણ માટે બનાવવામાં આવેલી આ સમિતિમાં દેશના ટોચના એન્જિનિયરોને રાખવામાં આવ્યા છે. આ સમિતિ આવનારી 15 ડિસેમ્બરના રોજ મંદિરના નિર્માણ અંગેનો સમગ્ર અહેવાલ રજૂ કરશે. આ સમિતિનો હેતુ વિવિધ ભૂ-તકનીકી સૂચનોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ ગુણવત્તાવાળા અને દીર્ધાયુષ્ય સાથે મંદિરનું નિર્માણ કરવાનો છે.

આ મંદિર નિર્માણ સમિતિના પસંદ કરવામાં આવેલા નિષ્ણાંતોના  નામ આ પ્રમાણે છે

  • અધ્યક્ષ – આઇઆઇટી દિલ્હીના ભૂતપૂર્વ નિર્દેશક પ્રો. વી.એસ.રાજુ
  • કન્વીયર – પ્રો. એન. ગોપાલકૃષ્ણન – ડાયરેક્ટર, સીબીઆરઆઈ
  • સભ્ય – પ્રો. એસ. એસ. ગાંધી – ડિરેક્ટર એનઆઈટ, સુરત
  • પ્રો. ટી.જી. સીતારામ ડાયરેક્ટર આઈઆઈટી  ગુવાહાટી,
  • પ્રો. બી. ભટ્ટાચારજી એમિરેટસ પ્રોફેસર આઈઆઈટ દિલ્હી
  • એપી મૂલ – સલાહકાર ટીસીઈ
  • પ્રો. મનુ સંથાનમ – આઈઆઈટી, મદ્રાસ
  • પ્રો. પ્રદીપ્તા બેનર્જી – આઈઆઈટી, મુંબઇ.

ઉલ્લખનીય છે કે રામ મંદિરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, દેશવાસીઓ રામ મંદિરને લઈને ઘણા ઉત્સાહિત છે,દેશના પ્રધાન મંત્રી મોદીએ આ મંદિરનો પાયો નાખ્યો હતો જે એક ઐતિહાસિક ક્ષણ ગણાય છે, આવનારા વર્ષોમાં આ એક ઈતિહાસ રચાશે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code